પ્રવીણ સૂદને બે વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ રવિવારે (14 મે) આ અંગે માહિતી આપી હતી. IPS અધિકારી પ્રવીણ સૂદ હાલમાં કર્ણાટકના DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Advertisement
Advertisement
પ્રવીણ સૂદ કર્ણાટકના ડીજીપી રહી ચૂક્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા 1986 બેચના IPS અધિકારી પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ કર્ણાટકના ડીજીપી તરીકે ફરજ બજાવતા હતા. સીબીઆઈ ડાયરેક્ટર પદની રેસમાં પ્રવીણ સૂદનું નામ સૌથી આગળ હતું. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પસંદગી સમિતિ દ્વારા તેમના નામને ફાઇનલ કરવામાં આવ્યું હતું. ત્રણ સભ્યોની સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને CJI DY ચંદ્રચુડનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદના નામ પર નોંધાવ્યો હતો વિરોધ
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદના નામ પર વિરોધ નોંધાવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ પ્રક્રિયા સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી હતી કે પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે. પ્રવીણ સૂદ ઉપરાંત મધ્યપ્રદેશના ડીજીપી સુધીર સક્સેના અને વરિષ્ઠ આઈપીએસ તાજ હસનનું નામ સીબીઆઈ ડિરેક્ટરશિપ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું.
ડીઓપીટીએ સીબીઆઈ ચીફ માટે 115 નામોની યાદી મોકલી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીઓપીટીએ અગાઉ સીબીઆઈ વડાના પદ માટે લગભગ 115 નામોની યાદી મોકલી હતી, જેમાં કેટલાક એવા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના નેતા ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે તેમને યાદીમાં અધિકારીઓના સર્વિસ રેકોર્ડ અને અંગત વિગતો અને અન્ય દસ્તાવેજો મળ્યા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે CJIએ સૂચન કર્યું હતું કે અધિકારીઓના અનુભવ અને વરિષ્ઠતાના આધારે યાદીને ટ્રિમ કરવામાં આવે જેના પગલે અનેક નામો સામે આવ્યા હતા. જો કે, ચૌધરીએ દલીલ કરી હતી કે યાદીની તૈયારીમાં વિસંગતતાઓ છે અને તેને નવેસરથી તૈયાર કરવાની માગણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સરકારે મહિલા અધિકારીઓ અને લઘુમતી સમુદાયના લોકો પર વિચાર કરવો જોઈએ.
પ્રવીણ સૂદ પર ડીકે શિવકુમારે કર્ણાટકમાં ભાજપને સમર્થન કરવાનો લગાવ્યો હતો આરોપ
1986 બેચના IPS અધિકારી પ્રવીણ સૂદને જાન્યુઆરી 2020 માં કર્ણાટકના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થાય છે, તે જ દિવસે સૂદ પણ જોડાઈ શકે છે. પ્રવીણ સૂદ માર્ચમાં હેડલાઇન્સમાં આવ્યા હતા જ્યારે કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે તેમના પર રાજ્યની ભાજપ સરકારનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો. શિવકુમારે પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગ કરતા કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતાઓ સામે કેસ નોંધી રહ્યા છે.
Advertisement