મહારાષ્ટ્રના સતારામાં ભારે તંગદિલીની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતારામાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હોવાના તેમજ આગચંપીની ઘટનાઓ અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.સૂત્રો અનુસાર સોશિયલ મીડિયા પર ગઈ 15 ઓગસ્ટથી વિવાદિત પોસ્ટને પગલે ખટાવ તાલુકાની આજુબાજુ સમગ્ર સાવલીમાં તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી હતી.
Advertisement
Advertisement
મંદિરને નિશાન બનાવાયું, પથ્થરમારો થયો
મળતી માહિતી અનુસાર ગઈરાત્રે મામલો વધુ બીચક્યો હતો અને એક પ્રાર્થના સ્થળ તથા મંદિર સહિત ધાર્મિકસ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે બંને ટોળાને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો અને લોકોની ભીડને વિખેરી નાંખી હતી. આ દરમિયાન જ તોડફોડ અને આગચંપીની કેટલીક ઘટનાઓ પણ બની હતી. આ વિસ્તારમાં સાવચેતીના પગલાં સ્વરૂપે હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
શા કારણે અથડામણ થઈ?
પ્રાપ્ત અહેવાલો અનુસાર કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ અંગે રવિવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખટાવ તાલુકામાં કોમી રમખાણો થયા હતા. તેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી અને અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્રદેશના એક વિશેષ સમુદાયના કેટલાંક યુવાઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને લીધે રવિવારે રાત્રે આ હિંસા ફાટી નીકળી હતી.
Advertisement