પટણા: નીતિશ સરકારે ગઈકાલે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. હવે તેના એક દિવસ પછી, મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વસ્તીગણતરીના અહેવાલના તારણો રજૂ કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બિહારમાં આજે સર્વપક્ષીય બેઠકમાં જાતિ ગણતરીના જાહેર કરાયેલા આંકડા પર ચર્ચા થશે. લોકસભા ચૂંટણી પહેલા નીતિશ સરકારનું આ પગલું ઘણાં રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવા માટે મજબૂર કરી શકે છે.
Advertisement
Advertisement
જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે બધું કર્યા પછી પરિણામ સામે આવ્યું છે. ત્યાર બાદ અમે દરેક પરિવારની આર્થિક સ્થિતિ વિશે માહિતી લીધી છે. આવતીકાલે સર્વપક્ષીય બેઠકમાં અમે તમામ મુદ્દા સૌની સમક્ષ મુકીશું, સરકાર બેઠકમાં સૌના અભિપ્રાય લઈને જરૂરી પગલાં લેશે.
ગઈકાલે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરાયા
ગઈકાલે નીતિશ કુમાર સરકારે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. સરકારી અહેવાલ મુજબ, બિહારની વસ્તીમાં 36 ટકા અત્યંત પછાત વર્ગો, 27 ટકા પછાત વર્ગો, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.
રાજકીય નિવેદનબાજી તીવ્ર બની
જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે કહ્યું કે શરૂઆતથી જ અમારી માંગ રહી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, આજે જાતિ આધારિત સર્વેનો વૈજ્ઞાનિક ડેટા જાહેર કરવામાં આવ્યો છે. સરકારની રચના પછી થોડા જ સમયમાં, અમે માહિતી એકત્રિત કરી છે અને આજે એક ઐતિહાસિક દિવસે અમે ઐતિહાસિક કાર્ય કર્યું છે, અમે વૈજ્ઞાનિક ડેટાના આધારે કલ્યાણકારી યોજનાઓ લાવવાનો પ્રયાસ કરીશું.
બિહાર સરકાર દ્વારા જાતિ ગણતરીનો રિપોર્ટ જાહેર કરવા પર બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હું નીતિશ કુમારને વારંવાર રિપોર્ટ જલદી જાહેર કરવા કહી રહ્યો હતો. આ આંશિક રિપોર્ટ છે, હવે ભાજપ સંપૂર્ણ રિપોર્ટ જોશે, તપાસ કરશે અને પછી તેનું વિગતવાર નિવેદન આપશે. આ અધૂરો રિપોર્ટ છે, જે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો છે તેનો કોઈ અહેવાલ નથી. અત્યારે તો નીતિશ કુમાર દ્વારા માત્ર જાતિની ગણતરી જ અંગે કહેવાયું છે, પરંતુ તે કઈ ટેકનિકથી કરવામાં આવ્યું તેનો રિપોર્ટ અમે લઈશું. ભાજપ શરૂઆતથી જ જાતિ સર્વેક્ષણનો સમર્થક રહ્યો છે.
આ અહેવાલ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય સિંહાએ કહ્યું કે આ અહેવાલમાં કંઈ નવું નથી. જેની અપેક્ષા હતી તે જ છે. તમે જે કહી રહ્યા છો તે લગભગ સૌ જાણે છે, જ્યાં સુધી પછાત લોકોના વિસ્તાર અનુસાર કંઈક વિગતવાર આવશે, તે પછી ખબર પડશે કે ગણતરીની હકીકત શું છે. બિહારનું કેટલું કલ્યાણ અને ઉત્થાન થયું ? ચૂંટણી સમયે તે શું ચમત્કાર કરશે તે દરેક સમાજના લોકો સમજે છે. તેમની પાસે ન તો વિઝન છે, ન નીતિ કે ન તો ઇરાદો.
Advertisement