છત્તીસગઢમાં મોડી રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો. છત્તીસગઢના બાલોદ જિલ્લામાં થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે થયો હતો. 11 મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
બાલોદના પુરુર અને ચર્મા વચ્ચે બાલોદગાહાન પાસે લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર થતા 10 લોકોનાં મોત થયાં છે અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થતા બોલેરોનો બુકડો બોલી ગયો હતો. બોલેરોમાં સવાર 10 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક બાળક ગંભીર રીતે ઘાયલ થયુ હોવાનું જાણવા મળ્યુ છે. આ તમામ લોકો ધમતારી જિલ્લાના સોરામ ભટગાંવના રહેવાસી હોવાની માહિતી મળી છે.
તમામ જાનૈયાઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે બાલોદ જિલ્લાના જગાત્રા પાસે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. તમામ લોકો એક જ પરિવારના હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માતમાં માત્ર એક બાળક જ બચી ગયો જે ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Advertisement