ચંદ્રયાન-3 સતત ચંદ્ર તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે અને ચંદ્રની નજીક પહોંચી રહ્યું છે. આજે એટલે કે 14 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-3 તેની ચોથી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ આજે સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ માટે એન્જિન ચાલુ રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. ત્યાર બાદ તેની ભ્રમણકક્ષા અગાઉ બે વખત બદલવામાં આવી હતી. તે દિવસે ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસવીરો લીધી હતી.
Advertisement
Advertisement
ભ્રમણકક્ષા બદલવાની આજે હાથ ધરાયેલી આ સફળ પ્રક્રિયા બાદ હવે ચંદ્રયાન-3 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. હવે 16 ઓગસ્ટે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલવામાં આવશે. ત્યારબાદ 17 ઓગસ્ટે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. લેન્ડર 18 અને 20 તારીખે ડિઓર્બિટ કરશે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, ISROના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્રયાન-3ની ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગની યોજના છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર અમેરિકા, સોવિયત સંઘ અને ચીન પછી ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3નો માર્ગ ચંદ્રયાન-2 જેવો જ રહેશે.
આ અગાઉ 9 ઓગસ્ટે બપોરે ઈસરોએ ચંદ્રયાન-3 અવકાશયાનની ભ્રમણકક્ષાને બદલવા અને તેને ચંદ્રની સપાટીની નજીક લઈ જવા માટે સફળતાપૂર્વક બીજો જટિલ પડાવ પાર કર્યો હતો. ઈસરોએ જણાવ્યું હતું કે બીજા તબક્કા બાદ ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા 1437 કિમી ઘટીને 174 થઈ ગઈ અને તેને ચંદ્રની નજીક લઈ જવામાં આવી રહ્યું છે. એન્જિનના રેટ્રોફાયરિંગથી અવકાશયાન ચંદ્રની સપાટીની 170 x 4313 કિમીની નજીક પહોંચ્યુ હતુ.
Advertisement