ભારતનું ચંદ્રયાન મિશન અત્યાર સુધી તેના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું છે. ગુરુવારે, પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રયાન-3 મિશનથી અલગ કરવામાં આવ્યું હતું. હવે પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી, ચંદ્રયાન-3 મિશનનું વિક્રમ લેન્ડર ચંદ્રની નીચલી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. ચંદ્રયાન 3 મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટીથી માત્ર 25 થી 150 કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરી રહ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
Advertisement
Advertisement
હવે સૌ 23 ઓગસ્ટની રાહ જોઈ રહ્યાં છે. તે દિવસે ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચશે અને આવું કરનારો વિશ્વનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બની શકે છે.
વિક્રમ લેન્ડર ચંદ્ર પર કયા સમયે ઉતરશે
ISROના જણાવ્યા પ્રમાણે કહેવું છે કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે તેવી અપેક્ષા છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે.
Chandrayaan-3 Mission:
??Chandrayaan-3 is set to land on the moon ?on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/osrHMk7MZL
YouTube… pic.twitter.com/zyu1sdVpoE— ISRO (@isro) August 20, 2023
14 જુલાઈએ શ્રીહરિકોટાથી ઉપડ્યા પછી, ચંદ્રયાન-3 ત્રણ અઠવાડિયામાં ઘણાં તબક્કાઓમાંથી પસાર થયું. 5 ઓગસ્ટે તે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી ચંદ્રયાન-3 ગઈ 6, 9, 14 ઓગસ્ટના રોજ અલગ-અલગ તબક્કામાં પ્રવેશ્યું હતું. આ ત્રણ અઠવાડિયામાં ઈસરોએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં મૂક્યું હતું. 16 ઓગસ્ટે તેને ચંદ્રની સપાટીની નજીક લાવવા માટે, પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલોને અલગ કરતા પહેલા લો-ઓર્બિટ કવાયત હાથ ધરવામાં આવી હતી. અગાઉ, 14 જુલાઈના પ્રક્ષેપણ પછી છેલ્લાં ત્રણ અઠવાડિયામાં પાંચથી વધુ પ્રક્રિયાઓમાં, ઈસરોએ ચંદ્રયાન-3ને પૃથ્વીથી દૂર વધુ ભ્રમણકક્ષામાં આગળ વધાર્યું હતું.
જાણો ક્યાં અને કેવી રીતે તમે લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો
ISRO અનુસાર, ચંદ્રયાન-3 મિશન દ્વારા ભારત અવકાશ સંશોધનમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરશે. ઈસરોએ જણાવ્યું કે આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે અવકાશ સંશોધનમાં દેશની પ્રગતિ દર્શાવે છે. આ બહુપ્રતિક્ષિત કાર્યક્રમનું 23 ઓગસ્ટે ટેલિવિઝન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ટેલિકાસ્ટ ISROની વેબસાઇટ, તેની YouTube ચેનલ, ISRO નું Facebook પેજ અને DD (દૂરદર્શન) નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર સાંજે 5:27 વાગ્યે શરૂ થશે.
Advertisement