કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એકવાર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. બીજી તરફ, બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા જાતીય સતામણીના આરોપોની તપાસના સંદર્ભમાં તેમના સાથીદારો અને ઉત્તર પ્રદેશના ગોંડામાં તેમના ઘરે કામ કરતા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાં સાક્ષી અને બજરંગ પુનિયાએ 3 જૂનની રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી હતી. આ પછી જ કેટલાક કુસ્તીબાજોએ તેમની સરકારી નોકરીમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ મુલાકાત બાદ અનુરાગ ઠાકુરનું નિવેદન આવ્યું છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળી ચૂક્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં ફરી એકવાર આ માટે કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.”
અનુરાગ ઠાકુરે શું કહ્યું?
બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના વિરોધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે સરકારની પ્રાથમિકતા રમતગમત અને ખેલાડીઓ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘સરકારે અગાઉથી જ એક સમિતિની રચના કરી છે. પોલીસે FIR નોંધી છે અને મામલાની તપાસ હાથ ધરી છે. ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને સિંહની ધરપકડની સતત માંગ કરી રહ્યા છે. બીજી તરફ સિંહ દાવો કરી રહ્યા છે કે તેમને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપીશ, એટલું જ નહીં તેઓ સતત કુસ્તીબાજોને પડકાર ફેંકી રહ્યા છે.
Advertisement