દિલ્હી: ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે અને CBI ટીમ કરી રહી છે. આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી હતી. આઈપીસી કલમ 304 હેઠળ આ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.
Advertisement
Advertisement
સીબીઆઈએ ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ થયેલા ગંભીર ટ્રેન અકસ્માતના સંબંધમાં ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. IPC કલમ 304 હેઠળ ઈરાદા વિના હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સજામાં ગુનાની ગંભીરતાને આધારે આજીવન કેદ અને દંડ અથવા સખત કેદનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં મોટો ખુલાસો!
રિપોર્ટ અનુસાર, 2018માં થયેલા નબળાં રિપેર વર્કને કારણે કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇન પર દોડવા લાગી હતી અને ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. રિપોર્ટ અનુસાર, આવી જ ઘટના 16 મે 2022ના રોજ ખડગપુર રેલવે ડિવિઝન હેઠળના બંગાળના એક સ્ટેશને બની હતી. ખોટા વાયરિંગના કારણે ટ્રેન બીજા રુટ પર ડાયવર્ટ થઈ ગઈ હતી. જો સ્ટેશન માસ્ટરે સમયસર ખામી શોધી કાઢી હોત તો આ અકસ્માત અટકાવી શકાયો હોત.
સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવારની સમસ્યાને લીધે અકસ્માત
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર થતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અગાઉ લગાવવામાં આવેલી સિગ્નલિંગ સર્કિટમાં ખામીને કારણે કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત થયો હતો. મહત્વની વાત એ છે કે રિપોર્ટમાં નોંધાયેલી માહિતી સીબીઆઈની તપાસમાં સામેલ કરવામાં આવશે.
Advertisement