મણિપુર હિંસા અને ષડયંત્ર ઘડવાના કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી ગઈ છે. સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સાથે સંબંધિત છ એફઆઈઆર નોંધી છે. આ કેસમાં તપાસ એજન્સી અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામુહિક દુષ્કર્મની ઘટના (વાઈરલ વીડિયો કેસ) અંગે નવી સાતમી એફઆઈઆર નોંધવાની પણ સીબીઆઈ તૈયારી કરી રહી છે.
Advertisement
Advertisement
કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
મણિપુરમાં 86 દિવસથી સતત હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. દરમિયાન, કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેણે મણિપુરમાં બે મહિલાઓની નિર્વસ્ત્ર પરેડના મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે, તેના સચિવ અજય કુમાર ભલ્લા દ્વારા, સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટને સમયબદ્ધ રીતે સુનાવણી પૂર્ણ કરવા માટે કેસને મણિપુરની બહાર ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે.
મૈતેઇ સમુદાયનો ગૃહ મંત્રાલય સાથે સંપર્ક
સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપવાની સાથે ગૃહ મંત્રાલયે પણ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો તેજ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ મૈતેઈ અને કુકી બંને સમુદાયના ટોચના પ્રતિનિધિઓના સંપર્કમાં છે. બંને સમુદાયોને વાટાઘાટોના ટેબલ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે બંને સમુદાયો વચ્ચે સમાધાન અંગે વિભાજિત અભિપ્રાય છે, પરંતુ, સરકારને આશા છે કે ટૂંક સમયમાં વાટાઘાટોમાં કોઈક સફળતા મળશે.
સુપ્રીમ કોર્ટ જાતીય હિંસા પર સુનાવણી કરશે
મણિપુરના નિર્વસ્ત્ર પરેડ કેસમાં કેન્દ્ર સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમાં જણાવાયું છે કે 26 જુલાઈના રોજ લખાયેલા એક પત્ર દ્વારા મણિપુર સરકારે વધુ તપાસ માટે આ કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે 27 જુલાઈએ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો છે. બેંચ હવે મણિપુરમાં જાતિ હિંસા સંબંધિત અરજીઓ પર 28 જુલાઈ એટલે કે આજે સુનાવણી કરશે.
Advertisement