- આજથી દેશભરમાં ગો-ફર્સ્ટ તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ નિર્ણય બાદ દેશભરના એરપોર્ટ પર મુસાફરો મુશ્કેલીમાં મૂકાય છે. ત્રીજી અને ચોથી મે સુધી તમામ વિમાનો સસ્પેન્ડ કરવાનો અચાનક નિર્ણય લેવાયો છે. ઉપરાંત કારણ દર્શાવ્યા વગર આટલો મોટો નિર્ણય લેવામાં આવતા હાલ મુસાફરો ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર હાલ દેશના એવિએશન સેક્ટરની દિગ્ગજ કંપની ગો-ફર્સ્ટે કેશ ફ્લોના કારણે તેના તમામ વિમાનો સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. એરલાઈનના રોકડ પ્રવાહને ગંભીર રીતે ફટકો પડ્યો છે. વાડિયાની માલિકીની ગો ફર્સ્ટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના બાકી લેણાંને કારણે 3 અને 4 મે માટે ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.
Advertisement