મણિપુરમાં હિંસા બાદની સ્થિતિ એકદમ તંગ છે. અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુરની સ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકનો તેમનો પ્રવાસ રદ્દ કર્યો છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રિમ્સમાં તેની સારવાર ચાલી રહી છે.
Advertisement
Advertisement
‘હિંસા પ્રભાવિત પરિવારોએ આસામમાં લીધો આશરો ‘
આ સાથે જ મણિપુર હિંસા અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું નિવેદન પણ સામે આવ્યું છે. હિમંતાએ કહ્યું, “મણિપુરમાં તાજેતરની ઘટનાઓથી પ્રભાવિત ઘણા પરિવારોએ આસામમાં આશ્રય લીધો છે. મેં કછાર જિલ્લા વહીવટીતંત્રને આ પરિવારોની સંભાળ રાખવા માટે વિનંતી કરી છે. સરમાએ કહ્યું કે હું મુખ્યમંત્રી એન બીરેન સિંહના સતત સંપર્કમાં છું અને આસામ સરકારે સંકટની આ ઘડીમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.
અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ પણ હિંસા અંગે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સતત સંપર્કમાં છે. પેમા ખાંડુએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘અરુણાચલ પ્રદેશ સરકાર તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મણિપુર સરકાર સાથે સતત સંપર્કમાં છે. મણિપુરથી અમારા વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસી માટે કમિશનર સીએમઓની દેખરેખ હેઠળ એક સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી છે. ટ્વીટમાં તેમણે આગળ લખ્યું છે કે, ‘વધુ વિગતો માટે કૃપા કરીને સંપર્ક કરો:- ડૉ દિલીપ,ડીઆરસી 70860 26788, થુટન જામ્બા, ASP 7630 090058’.
ગુરૂવારે ઇમ્ફાલમાં તોફાનીઓએ બીજેપી ધારાસભ્ય વુંગજાગીન વાલ્ટે પર હુમલો કર્યો હતો. ધારાસભ્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વોલ્ટે જ્યારે રાજ્યના સીએમ એન બિરેન સિંહને મળ્યા બાદ તેમના સત્તાવાર નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ બુધવારે રાત્રે સ્થિતિને સંભાળવા માટે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને રાજ્યના ગૃહ વિભાગે તોફાનીઓ સામે ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. મણિપુરમાં હિંસાથી ઘણા જિલ્લા પ્રભાવિત છે.
ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે વીડિયો જાહેર કરીને લોકોને અપીલ કરી છે. તેમણે શાંતિ માટે સરકારને સહકાર આપવા જણાવ્યું હતું. રાજ્યમાં બે સમુદાયો વચ્ચેની હિંસા ગેરસમજને કારણે થઈ રહી છે, જે કોઈ તોડફોડ કે હિંસા કરશે તેની સામે અમે પગલાં લઈશું.
Advertisement