ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટા માર્ગ અકસ્માતની માહિતી સામે આવી રહી છે. મુસાફરોથી ભરેલી એક બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં નવ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. ઘટના અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાગેશ્વર જિલ્લાના સમામાંથી પસાર થઈ રહેલી એક બોલેરો કાર અથડાઈને 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
Advertisement
Advertisement
ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી
માહિતી મળ્યા બાદ નાચની પોલીસ સ્ટેશનના SHO ચંદન સિંહ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પ્રાથમિક અહેવાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો બોલેરો કારમાં પૂજા માટે હોકરા મંદિર જઈ રહ્યા હતા. જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાંના રોડની હાલત અત્યંત ખરાબ છે.
ધારાસભ્ય હરીશ ધામીએ સૂચના આપી
ધારાસભ્ય હરીશ ધામીએ જિલ્લા મેજીસ્ટ્રેટ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક હોકરા પહોંચવા અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ અકસ્માત અંગે મુખ્યમંત્રી સાથે વાત કરશે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર અપાવવાની માંગણી કરશે. ધારાસભ્ય હરીશ ધામીએ આ ભીષણ દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
Advertisement