બિહારમાં ભાજપ દ્વારા યોજાયેલી વિધાનસભા કૂચને રોકવા માટે પટણા પોલીસે કરેલા લાઠીચાર્જમાં ડઝનબંધ ધારાસભ્યો અને સાંસદો ઘાયલ થયા હતા. તેમાં ભાજપના એક નેતાનું મોત થયું હોવાનો રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો હતો. બીજી તરફ, પટણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું હતું કે જહાનાબાદના વિજય સિંહ છજ્જુ બાગમાં રસ્તાના કિનારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. તેમને પીએમસીએચના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મેળવવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
Advertisement
Advertisement
નેતાઓ અને કાર્યકરોનો પીછો કરી માર માર્યો
તમને જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો રોજગાર શિક્ષકોને રાજ્યકર્મીનો દરજ્જો આપવાની માંગ સાથે વિધાનસભા કૂચ પર નીકળ્યા હતા. ડાકબંગલા ચાર રસ્તા પર તૈનાત પટણા પોલીસે પહેલા ભાજપના નેતાઓને પીછેહઠ કરવા કહ્યું. પરંતુ, ભાજપના નેતાઓ માન્યા નહીં. તેથી પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ આગેવાનો અને કાર્યકરોને દોડાવી – દોડાવીને મારવા લાગી હતી. એટલું જ નહીં ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.
સુશીલ મોદીએ કહ્યું- લોકશાહીની હત્યા થઈ રહી છે
ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે સરકાર આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. આ અન્યાય છે. પોલીસ લાઠીચાર્જમાં ભાજપના જહાનાબાદ જિલ્લાના મંત્રી વિજય કુમાર સિંહનું મોત થયું છે. બીજી તરફ પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈને કહ્યું કે પટણા પોલીસે મહિલાઓનો પણ પીછો કરીને માર માર્યો હતો.બિહાર સરકાર ભાજપના આંદોલનથી ડરી ગઈ છે.
સાંસદને પણ માર મારવામાં આવ્યો
લાઠીચાર્જ દરમિયાન બિહાર પોલીસે ભાજપના સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ બિહારના વિરોધપક્ષના નેતા વિજય કુમાર સિંહા પર પણ લાઠીચાર્જ કર્યો હતો. જનાર્દન સિંહ સિગ્રીવાલને ગંભીર ઈજાઓ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સિગ્રીવાલને માથામાં ઈજા થઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવી અને જીવેશ મિશ્રાની પોલીસે માર્ચ દરમિયાન ધરપકડ કરી છે.
Advertisement