બિહારના અરરિયામાં પત્રકાર વિમલ કુમાર યાદવની હત્યામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર આઠ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે ચાર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી બે પર પત્રકારની હત્યાનો આરોપ છે.
Advertisement
Advertisement
પત્રકાર વિમલ યાદવ હત્યા કેસમાં રાણીગંજ પોલીસે અલગ-અલગ જગ્યાએથી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અરરિયાના SDPO રામપુકાસ સિંહે જણાવ્યું કે આ ચાર આરોપીઓમાંથી બે પત્રકાર વિમલની હત્યામાં સામેલ હતા.
આ કેસમાં અરરિયા પોલીસે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી છે જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરરિયામાં પત્રકારની હત્યામાં આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર આરોપી વિપિન યાદવ, ભાવેશ યાદવ, આશિષ યાદવ અને ઉમેશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપી રૂપેશ યાદવ અને ક્રાંતિ યાદવ અરરિયા જેલમાં છે અને પોલીસ તેમને રિમાન્ડ પર લઈ રહી છે. બે આરોપી હજુ પણ ફરાર છે.
અરરિયાના રાણીગંજ વિસ્તારમાં બદમાશો દ્વારા પત્રકારની ગોળી મારીને હત્યા કરવાના મામલે એસપી અરુણ કુમાર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આઠ આરોપીઓમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક કેસમાં બે આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અન્ય બે આરોપીઓને પકડવા ટીમો દરોડા પાડી રહી છે.
આ ઘટના અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, વિમલે પોલીસને જણાવ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે, તેણે 3-4 દિવસ પહેલા પોલીસને સુરક્ષા પૂરી પાડવા માટે વિનંતી કરી હતી.
કેવી રીતે આ ઘટના બની?
35 વર્ષીય પત્રકાર વિમલ કુમાર યાદવ બિહારના અરરિયાના હેમ પ્રેમનગરમાં પોતાના ઘરે હતા ત્યારે સવારે 5:30 વાગ્યે કેટલાક લોકો ઘરે આવ્યા અને ગોળી મારીને તેમની હત્યા કરીને ભાગી ગયા. અગાઉ 2019માં વિમલના ભાઈની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી. તેમાં વિમલ મુખ્ય સાક્ષી હતો. વિમલના ભાઈની હત્યાનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, હવે વિમલની પણ હત્યા કરી દેવામાં આવી છે.
Advertisement