બિહાર ભાજપ આજે કાળો દિવસ મનાવી રહ્યો છે. ગઈકાલે પટણામાં શિક્ષકોની નિમણુંકના મુદ્દે વિધાનસભા કૂચ દરમિયાન પોલીસે કરેલા લાઠીચાર્જમાં જહાનાબાદ જિલ્લા મહામંત્રી વિજય સિંહના મોત બાદ ભાજપના નેતાઓ રોષે ભરાયા છે. પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે અમારા કાર્યકરની હત્યા કરવામાં આવી છે. તેથી અમે શુક્રવારે (આજે) કાળો દિવસ મનાવીએ છીએ, તેમજ શનિવારે બિહારમાં વિરોધ દેખાવો કરવામાં આવશે.
Advertisement
Advertisement
દરમિયાન, ભાજપના પ્રતિનિધિઓ આજે બપોરે 3.30 કલાકે રાજભવન જશે. ત્યાં રાજ્યપાલને એક આવેદનપત્ર સુપરત કરશે. સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હજુ પોસ્ટમોર્ટમ ક્યાં થયું છે, તે જ્યારે ત્યારે જાણવા મળશે. તેમણે આરોપ લગાવ્યો કે નીતીશ કુમાર દ્વારા બીજેપી કાર્યકરની હત્યા કરવામાં આવી છે. પક્ષ તેની નિંદા કરે છે. જ્યારથી નીતીશ કુમાર મમતા દીદી સાથે સંકળાયા ત્યારથી આવું થઈ રહ્યું છે.
સુશીલ મોદીએ કહ્યું – વિજય કુમાર સિંહનું બલિદાન વ્યર્થ નહીં જાય
બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ કહ્યું કે શાંતિપૂર્વક યોજાયેલી કૂચ પર લાઠીચાર્જ કરીને એક કાર્યકરનો જીવ લેવો અને ડઝનબંધ લોકોને ગંભીર રીતે ઘાયલ કરવા એ નિંદનીય છે. તેમણે કહ્યું કે શિક્ષકોની માંગના સમર્થનમાં ભાજપના જહાનાબાદ જિલ્લા મહામંત્રી વિજય કુમાર સિંહનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ મામલે હત્યાનો ગુનો નોંધાવવામાં આવશે.
ગિરિરાજે કહ્યું- નીતિશ કુમારે પવિત્ર ભૂમિ પર લોકશાહીની હત્યા કરી
ગિરિરાજે કહ્યું કે ભાજપ કાર્યકર વિજય સિંહની ક્રૂર હત્યાનો હિસાબ બિહારની જનતા લેશે. બિહારને લોકશાહીની માતા કહેવામાં આવે છે અને આજે નીતિશ કુમારે આ પવિત્ર ભૂમિ પર લોકશાહીની હત્યા કરી છે. લોકશાહી રીતે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો પર બર્બર હુમલાથી થયેલા મૃત્યુ માટે નીતિશ કુમાર સીધા જ જવાબદાર છે.
વિજય સિંહાએ કહ્યું- બીજેપી નેતાના મોત માટે મહાગઠબંધન સરકાર જવાબદાર
વિપક્ષના નેતા વિજય સિન્હાએ કહ્યું કે જેટલી માતાઓ અને બહેનો વિધવા થઈ, હત્યાકાંડ થયો. તે જંગલ રાજને સીએમ નીતિશે જનતા રાજ કહયું. ભાજપે કહ્યું કે આ જનતારાજ નથી, ગુંડારાજ છે. આ તમામ સામે હત્યા માટે એફઆઈઆર દાખલ થવી જોઈએ. ભાજપના નેતાના મોત માટે મહાગઠબંધન સરકાર જવાબદાર છે.
Advertisement