બંગાળની ખાડીમાં ચક્રવાત Cyclone Mocha પોતાના પ્રારંભિક તબક્કામાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ચક્રવાત ઊભું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 7મી મેના આસાપાસ હવાનું નીચું દબાણ બન્યા બાદ તે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ને સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચક્રવાત બન્યા બાદ તેની ગતિ સહિતની વધારાની વિગતો જાણી શકાશે.
Advertisement
Advertisement
આ અંગે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જોકે, હાલ ચક્રવાત ની ગતિ, તેના ટ્રેક, ચેતવણી અંગે કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.
હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની અસરોના કારણે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાત સહિતના ભાગોમાં આ વખતે મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ સાથે થઈ છે. જોકે, ખેડૂતો માટે આ હવામાન મુશ્કેલી લઈને આવ્યું છે. દેશના હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, મે માસની 6 તારીખે બંગાળની ખાડીમા દક્ષિણ-પૂર્વમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન જન્મ લઇ શકે છે, જેના કારણે 7 તારીખે લો-પ્રેશર ઉભુ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 8 તારીખે એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં ડેવલપ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ડિપ્રેશન ધીરે-ધીરે બંગાળની ખાડીમાં ઉત્તર તરફ ગતિને તે સાઈક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે.
27મી એપ્રિલે હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આની પાછળનું કારણ હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ચક્રવાત આવે તે પહેલા જરૂરી પગલાં ભરવા હોય તો તે અંગે કામગીરી હાથ ધરી શકાય છે. જે માટે અગાઉથી આગાહી કરવામાં આવી છે.
બુધવારે માહિતી આપતા હવામાન વિભાગના કાર્યાલયે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળી આવ્યા છે. જેના કારણે માછીમારો અને નાવિકોએ આ વિસ્તારમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
IMDના વડાએ કહ્યું કે ચક્રવાતના કિસ્સામાં પ્રદેશમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચેતવણી આપવામાં નથી આવી પરંતુ માહિતી આપવામાં આવી રહી છે કે જેથી કરીને જરૂરી પગલા ભરી શકાય. (ફાઈલ તસવીર)
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આંકડાકીય મોડેલ મુજબ 9 મેની આસપાસ ચક્રવાતી તોફાન માટે સાનુકૂળ રહેવાના સંકેત આપવામાં આવ્યા છે, પરંતુ તેની ગતિ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણ વાળા વિસ્તાર ની રચના પછી નક્કી કરી શકાશે. ઓડિશાના દરિયાકાંઠે તેની સંભવિત અસર વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ કહ્યું કે તેના માટે અથવા પૂર્વ કિનારે અન્ય કોઈ સ્થાન માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
તેમણે કહ્યું કે ચક્રવાત વિશે માહિતી આપવાનો હેતુ માછીમારો અને શિપિંગ સાથે જોડાયેલા લોકોને ચેતવણી આપવાની છે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. મહાપાત્રાએ કહ્યું કે એપ્રિલ, મે અને જૂન મહિનાના ઉનાળાના ચક્રવાત માટે ગણવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસાના ચક્રવાત મહિનાઓ છે.
ઓરિસ્સાના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાના મેજિસ્ટ્રેટ અને 11 વિભાગના અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી છે. મહત્વનું છે કે જો બંગાળની ખાડીમાં સાઈક્લોન બનશે તો તેને મોકા નામ આપવામાં આવશે, ઘણી જગ્યાએ આ નામને મોચા પણ ઉલ્લેખવામાં આવી રહ્યું છે.
Advertisement