અમેરિકાની મંદીની અસર સુરતના ડાયમંડ બજારમાં પડી રહી છે ત્યારે વૈશ્વિક મંદીમાં વધુ એક ખાડો જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
હીરા કારખાનામાં કામ કરીને રોજગારી મેળવનાર ઘણાં પરિવારો છે. હાલમાં સુરત શહેરમાં હીરા કારખાનામાં વેકેશન શરૂ થઇ ગયા છે પરંતુ જે કંપનીઓ શરૂ છે તેમણે ૧૦થી ૨૦ ટકા સુધી મજૂરીમાં ઘટાડો કરી દીધો છે. હીરાનો વેપાર મંદીમાં ગરકાવ થઇ રહ્યો છે. ખાસ કરીને છેલ્લાં ૧૦ મહિનાથી હીરા ઉદ્યોગમાં ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે. કોરોના સમયમાં હીરાની માંગ ઓલટાઇમ હાઇ રહી હતી.
૨૦૨૧-૨૨માં ઓલ ટાઇમ હાઇ કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. પરંતુ આ વર્ષે હીરા ઉદ્યોગમાં માઠી અસર જોવા મળી રહી છે. ભારતમાં જે હીરાનું કટ એન્ડ પોલિશ્ડ થાય છે તે હીરા સૌથી વધારે એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. હાલ અમેરિકામાં મંદીનું વાતાવરણ છે જેને લઇને જ્વેલરી અને ડાયમંડની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. જેને લઇને શહેરની નાની-મોટી કંપનીઓ દ્વારા વેકેશન રાખી દેવાયા છે. સામાન્ય રીતે હીરાની ફેક્ટરીમાં 7થી10 દિવસનું વેકેશન રાખવામાં આવે છે.
પરંતુ આ વર્ષે ૨૦થી ૩૦ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ શહેરમાં અમુક કંપનીઓ વેકેશન જાહેર કર્યા નથી તેમને કટ એન્ડ પોલિશ્ડ માટેની મજૂરીમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. કટ એન્ડ પોલિશ્ડમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો થતા હીરાના કામ સાથે જોડાયેલા લોકોનું જીવન ધોરણ ચલાવવું પણ ઘણું મુશ્કેલ બન્યું છે. સામાન્ય રીતે કામ કરીને જીવન નિભાવતા પરિવારો પર વધુ એક મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે અને તેને લીધે ઓછી મજૂરીમાં પણ કારીગરો કામ કરવા મજબૂર બન્યા છે.
ગુગલ અને ટ્વીટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રભાવને કારણે અમેરિકાના આઈટી જગતમાં પણ એક સન્નાટો છવાઈ ગયો છે. એક તરફ એક પછી એક આઈટીવાળા બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે અને બીજી તરફ ભારતમાંથી આઈટી તરફ જનારા લોકોને પણ માનસિક ભય છે કે અમેરિકા જઈને સારી આઈટી રિલેટેડ નોકરી મળશે કે કેમ ? તે પણ એક પ્રશ્ન છે.
સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આઈટી અને સોફ્ટવેરને લગતાં કામોમાં એક હતાશા છવાઈ ગઈ છે. સાથે સાથે આઈટી નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે ભલે મોટી મોટી કંપનીઓ એવું માને કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે રોજગારી જવાના ડરથી તેઓ તેની સેવાઓને વ્યાપક નહીં બનાવે પરંતુ પોતાના ફાયદા માટે ચોક્કસ વિકસાવશે અને સ્વાયત્ત બનશે અને એ જ કારણથી અમેરિકામાં બૌદ્ધિકો માટે કામ ઘટશે.
Advertisement