માર્યા ગયેલા માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનને પોલીસે માફિયા જાહેર કરી દીધી છે. પ્રયાગરાજ પોલીસની એફઆઇઆરમાં સાઈસ્તાને માફિયા ગણાવવામાં આવી છે. પોલીસ શાઈસ્તાની શોધ કરી રહી છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં શાઈસ્તા આરોપી છે. યૂપી પોલીસ શાઈસ્તાની ધરપકડ માટે સતત છાપામારી કરી રહી છે પરંતુ અત્યાર સુધી તે પોલીસની પકડ માંથી બહાર છે.
Advertisement
Advertisement
ઉમેસ પાલ મર્ડર કેસના આરોપી અતીક અને તેમના નાના ભાઈ અશરફની 15 એપ્રિલે પ્રયાગરાજની એક સરકારી હોસ્પિટલના ગેટ સામે ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અતીક-અશરફની હત્યા તે સમયે થઈ જ્યારે પોલીસ બંનેને મેડિકલ તપાસ કરાવવા માટે લઈ જઈ રહી હતી. આનાથી પહેલા પોલીસે ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદ અને ગુલામને 13 એપ્રિલે ઝાંસી એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.
પ્રયાગરાજ પોલીસે હવે આવા જ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પ્રયાગરાજ પોલીસે માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અને અન્ય આરોપી સાબીરને કથિત રીતે આશ્રય આપવા બદલ સ્થાનિક અતિન જાફર સામે કેસ નોંધ્યો છે. બંને ઉમેશ પાલ અને તેના બે ગનર્સની હત્યાના સંબંધમાં વોન્ટેડ છે. 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો.
પોલીસે મંગળવારે દરોડા દરમિયાન મોહમ્મદ અતીન જાફરની અટકાયત કરી હતી. જેની પુછપરછ બાદ છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જાફરે અતીકની હત્યાના એક દિવસ પછી 15 એપ્રિલે ખુલદાબાદ વિસ્તારમાં શાઇસ્તા અને સાબીરને કથિત રીતે તેના નિવાસસ્થાને આશ્રય આપ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં સાબીર પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે.
શાઇસ્તા અતીકના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતી હતી
પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન જાફરે કબૂલ્યું કે શાઇસ્તા અને સાબીર 16 એપ્રિલના રોજ પ્રયાગરાજના ખુલદાબાદ વિસ્તારમાં તેના ઘરે રોકાયા હતા અને બીજા દિવસે અજ્ઞાત સ્થળે રવાના થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જાફરે તેમને એમ પણ કહ્યું હતું કે શાઇસ્તા અને સાબીરે કપટ દ્વારા અતીકના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની યોજના બનાવી હતી, પરંતુ અંતિમ વિધિમાં ભારે પોલીસ હાજરી હોવાથી અંતિમ ક્ષણે તેમની યોજના બદલી નાખી હતી.
ગુડ્ડુ મુસ્લિમ ચાર એસટીએફના હાથમાંથી સરકી ગયો છે
ઉમેશ પાલની હત્યાના 73 દિવસ બાદ પણ ત્રણ શૂટરો ફરાર છે. આવી સ્થિતિમાં યુપી પોલીસ બોમ્બર ગુડ્ડુ મુસ્લિમને શોધી રહી છે. પોલીસનું માનવું છે કે ગુડ્ડુ મુસ્લિમે અતીકના ઘણા રહસ્યો છુપાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુડ્ડુ મુસ્લિમ ચાર વખત એસટીએફના હાથમાંથી સરકી ગયો છે. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ ગુડ્ડુ 11 એપ્રિલ સુધી અતીક અને અશરફના સંપર્કમાં હતો. ગુડ્ડુને ટ્રેક કરી રહેલી એસટીએફની ટીમે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે ઓડિશાથી એસટીએફને ગુડ્ડુ મુસ્લિમનો કોઈ સુરાગ મળ્યો નથી. અગાઉ STFએ ઇનપુટ કર્યું હતું કે ગુડ્ડુ 5 માર્ચે મેરઠથી બસ લઈને દિલ્હી ISBT બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો. દિલ્હી પહોંચતા જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે બાદ 21 માર્ચે બિહારના ભાગલપુરમાં ગુડ્ડુ મુસ્લિમનું લોકેશન મળ્યું હતું. એસટીએફની ટીમ અહીં પહોંચી હતી, પરંતુ તે અહીંથી પણ ભાગી ગયો હતો.
Advertisement