અંબાલાલ પટેલે ફરી વરસાદ અને બંગાળની ખાડીમાં ચક્રવાતની આગાહી કરી છે. તેમનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમી સાથે દરીયાઈ વાવાઝોડું પણ આવી શકે છે.
Advertisement
Advertisement
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે. તથા હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે. જેમાં જેવધવાની આગાહી છે. તેમાંતાપમાનનો પારો 42 ડિગ્રી પહોંચે હોં તેવી સંભાવના છે.
અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં તાપમાન વધશે. તેમજ રાજકોટ, અમરેલી , સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ગરમી માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તેમજ કચ્છમાં હવામાન વિભાગ વધારે ગરમી પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન છે તથા બંગાળની ખાડીમાંથી ચક્રવાત સર્જાઈને એ પછી
વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
હાલમાં ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન 40થી 41 ડિગ્રીની આસપાસ છે અને તે પ્રમાણે એકાદ-બે ડિગ્રી વધે તો તે 42થી 43ની રેન્જમાં આવી જાય.
સતત ગરમીનો પ્રકોપ વધતા લૂના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.
Advertisement