જમ્મુ – કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સ અમરનાથ યાત્રાના કાફલા પર પુલવામા જેવા આતંકી હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
Advertisement
Advertisement
અમરનાથનું પવિત્ર ગુફા મંદિર દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ગયા વર્ષે 3.45 લાખ લોકોએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આ વર્ષે આ આંકડો પાંચ લાખને પાર થવાની સંભાવના છે.
સુરક્ષા મુદ્દે અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. શાહ યાત્રાની યોગ્ય તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલી યોજનાઓ પર સતત નજર રાખી રહ્યા છે. તીર્થયાત્રા સાથે જોડાયેલા અન્ય લોકો પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.
પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અમરનાથ યાત્રામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે.
યાત્રીઓના કાફલા દરમિયાન અન્ય કોઈ વાહન પસાર નહીં થાય
બીજી તરફ સૂત્રો પાસેથી મળતી અન્ય એક મહત્વની માહિતી એ છે કે સુરક્ષા એજન્સીઓની આંતરિક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે જ્યારે અમરનાથ યાત્રીઓનો કાફલો જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થશે ત્યારે અન્ય કોઈ વાહન કાફલામાં જોડાઈ શકશે નહીં. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
Advertisement