દિલ્હી: નોઈડાના ચર્ચાસ્પદ નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કરી દીધાં છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહને આપવામાં આવેલી ફાંસીની સજા રદ કરી છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે આપેલી ફાંસીની સજાને રદ કરી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધાં છે.
Advertisement
Advertisement
બંને દોષીઓની અરજી પર હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સુરેન્દ્ર કોલીએ 12 કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજા સામે અરજી દાખલ કરી હતી. જ્યારે મનિન્દર સિંહે બે કેસમાં આપવામાં આવેલી સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
આના આધારે નિર્દોષ ઠેોરવ્યા
અલ્હાબાદ હાઈકોર્ટે પ્રત્યક્ષ પુરાવાનો અભાવ અને કોઈ સાક્ષી ન હોવાના આધારે ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટના આ ચુકાદાથી સીબીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે રિમ્પા હલદર હત્યા કેસમાં સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા યથાવત રાખી છે. પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
આરોપી વતી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ ઘટનાનો કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી. તેને માત્ર વૈજ્ઞાનિક અને સંજોગોવશાત્ પુરાવાના આધારે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજા રદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. મનિન્દર સિંહને હાઈકોર્ટે પહેલા જ એક કેસમાં નિર્દોષ જાહેર કરી દીધો હતો.
કોર્ટના આ મોટા નિર્ણય બાદ નિઠારી કેસના દોષિત મોનિન્દર સિંહ પંઢેરના વકીલ મનીષા ભંડારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે મોનિન્દર સિંહ પંઢેરને તેમની વિરુદ્ધની બે અપીલમાં નિર્દોષ જાહેર કર્યા છે. તેની સામે કુલ 6 કેસ હતા. અહીં કોલીને તેની સામેની તમામ અપીલમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
Advertisement