ભારતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરે આજે પ્રયાગરાજમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ચેતક હેલિકોપ્ટરનું હોલાગઢ વિસ્તારમાં એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, એરફોર્સે પણ આ વાતની પુષ્ટિ કરી છે. હેલિકોપ્ટર ખેતરમાં ઉતરતાની સાથે જ ત્યાં આસપાસના લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર પાયલટ સંપુર્ણ સુરક્ષિત છે. એરફોર્સના ઝોનના પ્રવક્તા સમીર ગંગાખેડકરે જણાવ્યું હતું કે પાયલોટ અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન થયું નથી.
Advertisement
Advertisement
એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પોલીસ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી હતી અને ચેતક હેલિકોપ્ટરના લેન્ડિંગની આસપાસના વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો. સેન્ટ્રલ એર કમાન્ડની એક ટીમ અગાઉ જ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. હેલિકોપ્ટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને દૂર કરવા માટે એરફોર્સના એન્જિનિયરિંગ યુનિટને બોલાવવામાં આવ્યું છે.
પાયલટ સુરક્ષિત
ગ્રામજનોએ જણાવ્યું કે ઈમરજન્સી લેન્ડિંગ પહેલા હેલિકોપ્ટર લાંબા સમય સુધી આકાશમાં ચક્કર મારતું રહ્યું અને પછી હેલિકોપ્ટરે જમીન પર ઉતરાણ કર્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સુરક્ષા માટે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
Advertisement