દિલ્હીઃ ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. માત્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન પર ટકેલી છે. દરમિયાન, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયામાં લોકોએ નમાજ અદા કરી હતી. આ ઉપરાંત પ્રયાગરાજમાં શ્રી મઠ બાઘંબરી ગદ્દી અને વારાણસીના કામાખ્યા મંદિરમાં સફળ ઉતરાણ માટે હવન કરવામાં આવી રહ્યો છે. પરંતુ અભિનેતા પ્રકાશ રાજે આ અંગે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું.
Advertisement
Advertisement
ત્યારબાદ હવે અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન 3 અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર હોબાળો મચી ગયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ રાજે ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવી હતી. આ મામલે હવે તેની સામે બાગલકોટના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
કર્ણાટકમાં ચંદ્રયાન-3 મિશન પર ટ્વીટ કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંદુ સંગઠનોના નેતાઓએ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માંગ કરી છે.
પ્રકાશ રાજ તેમના સ્પષ્ટભાષી નિવેદનો માટે જાણીતા
સાઉથથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા પ્રકાશ રાજ તેમના દમદાર અભિનયની સાથે-સાથે તેમના સ્પષ્ટવક્તા નિવેદનો માટે પણ જાણીતા છે. બે દિવસ પહેલા તેમણે ચંદ્રયાન-3ની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે કર્ણાટકના બાગલકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રકાશ રાજને યુઝર્સે ખૂબ ટ્રોલ કર્યા
બે દિવસ પહેલા, પ્રકાશ રાજે ટ્વીટર પર શર્ટ અને લુંગીમાં સજ્જ એક વ્યક્તિ ચા રેડતા કાર્ટૂન તસવીર શેર કરી હતી. આ તસવીર પોસ્ટ કરતાં પ્રકાશ રાજે લખ્યું, ચંદ્રયાનનો પહેલો વ્યૂ હમણાં જ આવ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજની ભારે ટીકા થઈ હતી અને યુઝર્સે તેમને ટ્રોલ પણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કર્યા પછી, પ્રકાશ રાજે પાછળથી બીજી ટ્વિટમાં સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી માત્ર મજાક તરીકે જ હતી.
Advertisement