રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી છે. દિલ્હી પોલીસની એક ટીમ ગઈ કાલે રાત્રે લખનૌ અને ગોંડામાં બ્રિજ ભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, SIT ટીમે બ્રિજ ભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન નોંધ્યા છે.
Advertisement
Advertisement
SITએ 12 લોકોના નિવેદન નોંધ્યા
દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘરે અને તેમની સાથે કામ કરતા લોકોના નામ-સરનામા અને ઓળખ પત્ર એકત્ર કર્યા છે. જો કે આ તપાસ બાદ પોલીસની ટીમ દિલ્હી પાછી આવી ગઈ છે.
આ કેસ બ્રિજભૂષણ શરણ સિંહ માટે બે રાહત લઈને આવ્યો છે. એક બાજુ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે તેમની નોકરી ફરી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ સગીર કુસ્તીબાજે તેના આરોપો પાછા ખેંચી લીધા છે. શનિવારે રાત્રે ત્રણ આંદોલનકારી કુસ્તીબાજો ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે સરકાર તરફથી કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ કુસ્તીબાજોએ હડતાળ પૂરી કરીને કામ પર પરત ફરવાનો નિર્ણય લીધો છે. જોકે કુસ્તીબાજોએ તેને સંપૂર્ણપણે નકારી કાઢતા કહ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
દરમિયાન, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ફરીથી કામમાં જોડાતા ખેડૂતો અને ખાપ નેતાઓ નારાજ થયા છે. તેઓ કુરુક્ષેત્રમાં મહાપંચાયત યોજવાના હતા. નારાજગીના પગલે તેમણે 9 જૂને જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધને મોકૂફ રાખ્યો છે.
શું છે સમગ્ર મામલો?
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં ઘણાં દિગ્ગજ કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે
Advertisement