ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી ગઈ હતી. ફ્લાઈટમાં લોહીની ઉલટીઓ શરૂ થયા બાદ ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને તે પેસેન્જરને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. મૃતકની ઉંમર 62 વર્ષની હોવાનું જાણવા મળે છે.
Advertisement
Advertisement
પેસેન્જરની ઓળખ દેવાનંદ તિવારી તરીકે થઈ
ઘટનાની માહિતી અનુસાર, મુસાફર ક્ષય રોગ અને કિડનીની લાંબી બિમારીથી પીડિત હતો. તેના કારણે તેને પ્લેનમાં લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે. જરૂરી તબીબી પ્રક્રિયાઓ અને ક્લિયરન્સ પછી, ઇન્ડિગોની ફ્લાઇટે સફળતાપૂર્વક નાગપુરથી રાંચી સુધીની મુસાફરી ફરી શરૂ કરી હતી. મૃતક મુસાફરની ઓળખ દેવાનંદ તિવારી તરીકે થઈ છે. આ ઘટના મુંબઈથી રાંચી આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E 5093માં બની હતી. આ ઘટના બાદ ફ્લાઇટનું નાગપુરના ડો. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સારવાર પહેલા જ પેસેન્જરનું મોત થઈ ગયું હતું.
આ અગાઉ ટેક ઓફ પહેલા પાયલોટનું મોત થયું હતું
આ પહેલા 17 ઓગસ્ટે નાગપુર એરપોર્ટ પર ટેક ઓફ કરતાં પહેલા જ એક પાયલોટનું મોત થયું હતું. પાયલોટ ઈન્ડિગો એરલાઈન્સનો હતો. તેમનું નામ હતું કેપ્ટન મનોજ સુબ્રમણ્યમ હતું. તેઓ નાગપુરથી પુણેની ફ્લાઈટથી જવાના હતા. પરંતુ એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસે જ તે અચાનક પડી ગયા અને તેમનું મોત થઈ ગયું. પ્રાથમિક અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું.
Advertisement