સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જિલ્લાના માછલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
Advertisement
Advertisement
કાશ્મીર ઝોન પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતા જણાવ્યું કે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા, તે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK)થી સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ સંબંધિત વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
દરમિયાન રાત્રે એક વાગ્યે પાંચ આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓએ સુરક્ષાદળોને જોઈને તરત જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વળતી કાર્યવાહીમાં એક પછી એક પાંચેય આતંકીઓ માર્યા ગયા હતા.
આ અગાઉ શુક્રવાર, 16 જૂને કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી. શુક્રવારે સુરક્ષા દળોએ પાંચ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. નિયંત્રણ રેખા (LoC) પર આખી રાત ચાલેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મી ઓફિસર ગિરીશ કાલિયાએ જણાવ્યું કે એલઓસી પર જામગુંડ વિસ્તારમાં ઘૂસણખોરીની માહિતી મળતાં સુરક્ષા દળોએ ઘણી જગ્યાએ જવાનોની તૈનાતી વધારી દીધી હતી.
Advertisement