મુંબઈઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીને મહારાષ્ટ્ર સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. સરકાર તેમની પાસેથી પાંચ એરપોર્ટ પરત લેવાનું વિચારી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં અનિલ અંબાણી જૂથ પાસેથી લાતુર, ઉસ્માનાબાદ, નાંદેડ, યવતમાલ અને બારામતી એરપોર્ટ પરત લઈ લે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
હકીકતે, વર્ષ 2008-2009માં સરકારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડને એરપોર્ટની જાળવણીની જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્ર સરકારે આ કંપનીને આ પાંચ એરપોર્ટ 30 વર્ષના લીઝ પર આપ્યા હતા. પરંતુ હવે અનિલ અંબાણીની કંપની ન તો એરપોર્ટની જાળવણી કરી રહી છે કે ન તો બાકીની રકમ ચૂકવી રહી છે. તેને લીધે સરકારને નાંદેડ એરપોર્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે. ફડણવીસે કહ્યું કે સરકાર આ એરપોર્ટ્સની જાળવણીની બાકી રકમના નાણાં ચૂકવી દેશે અને તે રકમ રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ પાસેથી વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડે આ પાંચ એરપોર્ટ માટે સૌથી વધુ રૂ. 63 કરોડની બોલી લગાવી હતી.
મહારાષ્ટ્ર સરકાર એટર્ની જનરલ પાસેથી કાનૂની અભિપ્રાય લેશે
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ પાસેથી લેણાંની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે એટર્ની જનરલ પાસેથી કાનૂની અભિપ્રાય લેશે. વળી, શું સરકાર તેના બદલે એરપોર્ટ પોતાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લઈ શકે છે? આ અંગે એટર્ની જનરલ પાસેથી માહિતી મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement