મહારાષ્ટ્રના થાણેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાકમાં 18 દર્દીઓના મોતના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈસીયુમાં મૃતકોની સારવાર ચાલી રહી હતી. આ મૃત્યુ અંગે હજુ સુધી હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ મામલો સામે આવ્યા બાદ સીએમ એકનાથ શિંદેએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
Advertisement
Advertisement
આ પહેલા પણ અહીં એક સાથે છ દર્દીઓના મોત થયા હતા. એક જ દિવસમાં એક પછી એક દર્દીના મોતને લઈને મૃતકના સંબંધીઓએ પણ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ એનસીપી નેતા શરદ પવારે ટ્વીટ કરીને પ્રશાસન અને સરકારને ઘેરી છે.
અધિકારીઓએ તપાસ હાથ ધરી
હોસ્પિટલમાં સતત થઈ રહેલા મોતની ઘટના બાદ સત્તાવાળાઓએ પણ તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હતા અને તેમની હાલત અત્યંત નાજુક હતી. કહેવાય છે કે આ હોસ્પિટલ શહેરની એકમાત્ર પ્રાદેશિક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ રહેતી હોય છે. આ હોસ્પિટલમાં ઉપનગરો ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો સારવાર માટે આવે છે. આ ઉપરાંત અહીં રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે. હાલ સમાચાર આવી રહ્યા છે કે હોસ્પિટલના ડીને 18 લોકોના મોત થયા હોવાનું સ્વીકાર્યું છે.
સીએમ શિંદેએ તપાસના આદેશ આપ્યા
એક પત્રકાર પરિષદને સંબોધતા, મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે અને એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે, જેનું નેતૃત્વ આરોગ્ય સેવા કમિશનર કરશે. આ ઉપરાંત આ કમિટીમાં કલેક્ટર, સિવિક ચીફ, હેલ્થ સર્વિસના ડાયરેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે. કમિટી મોતના કારણોની તપાસ કરશે. તેમણે કહ્યું કે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે. કેટલાક પરિવારજનોએ પણ બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
Advertisement