વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે.ત્યારે ભાજપ માંથી ચૂંટણી લડવા દાવેદારોની રાફડો ફાટ્યો છે.નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને નાંદોદ વિધાનસભા બેઠક માટે 50 થી પણ વધુ લોકો વિધાનસભા ચૂંટણી લડવા દાવેદારી કરી રહ્યા છે.એ તમામ લોકોએ ટીકીટ મેળવવા માટે લોબિંગ પણ ચાલુ કરી દીધું છે.હવે નર્મદા જિલ્લા માંથી એક જ પરિવારના ચાર સભ્યોએ અલગ અલગ વિધાનસભા બેઠક પરથી ટીકીટ માટે દાવેદારી કરી રહ્યા છે.
Advertisement
Advertisement
નાંદોદ બેઠક પરથી ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ સ્વ. ચંદુભાઈ દેશમુખના પુત્રી ડો.દર્શનાબેન દેશમુખ એમના નાના ભાઈ ડો.રવી દેશમુખે દાવેદારી કરી હોવાનુ જાણવા મળ્યું છે.તો બીજી બાજુ ડેડીયાપાડા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અને ડો.દર્શનાબેન દેશમુખ અને ડો.રવી દેશમુખના સગા મામા મોતીસિંહ વસાવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુસાબેન વસાવાએ દાવેદારી કરી હોવાનુ જાણવા મળ્યું છે, હવે પર્યુસાબેન મોતીસિંહ વસાવાના ભત્રીજા વહુ થાય છે.
નાંદોદ વિધાનસભા બેઠક પર હાલ ભાજપ કોને ઉમેદવાર બનાવે છે એની પર સૌની નજર છે.વાત કરીએ ડો.રવિ દેશમુખની તો તેઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં સરકરી તબીબ તરીકે કાર્યરત છે સાથે સાથે પોતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ સાથે પણ સંકળાયેલા છે.એમના મોટા બહેન ડો.દર્શનાબેન દેશમુખ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે, એમણે ભાજપમાં વિવિધ હોદ્દા પર કામ પણ કર્યું છે, એમ કહીએ તો ચાલે કે ડો.દર્શનાબેન પોતાના સ્વર્ગસ્થ પિતા ચંદુભાઈ દેશમુખના રાજકીય ઉતરાધિકારી બનવાની ક્ષમતા ધરાવે છે.એમના જ મોસાળ પક્ષના મોતીસિંહ વસાવા ડેડીયાપાડા વિસ્તારમાં સારી એવી વ્યક્તિગત પકડ ધરાવે છે.એમનો માયનાસ પોઇન્ટ એ છે કે તેઓ ભૂતકાળમાં ભાજપ માંથી બળવો કરી શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ગયા હતા અને વનમંત્રી બન્યા હતા.નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ પર્યુસાબેન વસાવા મહિલા આગેવાન તરીકે સારી એવી છાપ ધરાવે છે.
આમ તો એક જ કુટુંબ માંથી 2 વ્યક્તિઓને ટીકીટ આપવી એ ભાજપમા તો શક્ય છે જ નહિ, જો એમ થાય તો સગાવાદને પ્રોત્સાહન આપ્યું એમ ગણાય.જો નાંદોદ બેઠક પરથી દર્શનાબેન દેશમુખ એમના નાના ભાઈ ડો.રવી દેશમુખ માંથી ભાજપ કોઈ એકને ઉમેદવાર બનાવે તો ડેડીયાપાડા બેઠક પર એમના સગા મામા મોતીસિંહ વસાવાને ટિકિટ ન મળે એવું બની શકે, એવી જ રીતે ડેડીયાપાડા બેઠક પર જો મોતીસિંહ વસાવાને ટિકિટ મળે તો એમના ભાણીયા અને ભાણીને ટિકિટ ન મળે એવું બની શકે.ત્યારે હાલ ચર્ચાઓ એવી થઈ રહી છે કે નર્મદા જિલ્લામાં મામા, ભાણીયા, ભાણી અને ભત્રીજા વહુ માંથી ભાજપ કોને ટીકીટ આપશે.
Advertisement