- નર્મદાની નાંદોદ બેઠક માટે કોંગ્રેસમાં 9 અને ડેડીયાપાડા બેઠક માટે 9 ઉમેદવારોમાં બાયોડેટા પ્રદેશમાં પહોંચ્યા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી પાડતા હવે BTP નું કોંગ્રેસ સાથે ગઠબંધન થશે એવો ચોક્કસ એંધાણ વર્તાઈ રહ્યાં છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકરો BTP સાથે ગઠબંધનની બિલકુલ વિરૂદ્ધમાં છે.નર્મદા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અને હોદ્દેદારોનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મળવા પ્રદેશ ઓફિસ પર પહોંચ્યું હતું. કાર્યકરોએ જગદીશ ઠાકોરને એવી રજૂઆત કરી હતી કે જો BTP સાથે ગઠબંધન થશે તો કોંગ્રેસને મોટું નુકશાન થશે, અમે BTP સાથે ગઠબંધનના વિરૂદ્ધમાં છે.એમણે BTP સાથે ગઠબંધન થવાથી કોંગ્રેસને શું નુકશાન છે એ તમામ બાબતોએ જગદીશ ઠાકોરને વાકેફ કર્યા હતા.
Advertisement
Advertisement
કોંગ્રેસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગદીશ ઠાકોરે BTP સાથે ગઠબંધન ન કરવા અને કેન્દ્રીય કક્ષાએ આ બાબતે અવગત કરવાની બાહેધરી આપી છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે છેલ્લો નિર્ણય દિલ્હીથી લેવાશે.જો કે જગદીશ ઠાકોરે નર્મદા જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો સાથે ફરી વખત આ બાબતે બેઠક કરવા નિમંત્રણ પણ આપ્યું છે, તો હવે જોવું રહ્યું કે પ્રદેશ કોંગ્રેસ શું નિર્ણય લે છે.
આ તમામની વચ્ચે નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે કુલ 18 ઉમેદવારોના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ પાસે પહોંચ્યા છે.નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા, હાલના ધારાસભ્ય પી.ડી.વસાવાના પુત્ર જતીનભાઈ વસાવા, ભૂછાડ ગામમાં નિલેશભાઈ વસાવા, રણજીત તડવી એમની પત્ની અંગિરાબેન તડવી, રાજુભાઈ ભીલ, મહેન્દ્રભાઈ ભીલ (કપુર), રમણભાઈ ભીમાભાઈ તડવી, મનીષ તડવી (ડેકાઈ) જ્યારે ડેડીયાપાડા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, સુરેશભાઈ વસાવા, જેરમાબેન વસાવા, પ્રભુભાઈ વસાવા, હરિસિંહ વસાવા (વકીલ), રાકેશભાઈ વસાવા (ડેડીયાપાડા), સાગબારાના પરેશભાઈ વસાવા, આનંદભાઈ વસાવાના બાયોડેટા પ્રદેશ કક્ષાએ પહોંચી ગયા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: AAP અને કોંગ્રેસે લોભામણા વચનોનો કર્યો વરસાદ, ભાજપની મુશ્કેલીઓ વધી
જો BTP સાથે ગઠબંધન થાય કે ન થાય ફાયદો ભાજપને જ થશે
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BTP અને કોંગ્રેસના ગઠબંધનની શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો એનો હમણાથી જ વિરોધ કરી રહ્યા છે.જો BTP સાથે ગઠબંધન થાય તો ખાસ કરીને ડેડીયાપાડા સાગબારા કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે એવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. અને જો ગઠબંધન નહિ થાય તો કોંગ્રેસ ભાજપ અને BTP વચ્ચે ત્રી પાંખીયો જંગ ખેલાશે, BTP સાથે કોંગ્રેસનું ગઠબંધન થાય કે ન થાય ડેડીયાપાડા બેઠક માટે ભાજપને મોટો ફાયદો થવાનો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું સમય મુજબ નિર્ણય લઈશું
જ્યારે BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડ્યું હતું ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે BTP સાથે ગઠબંધન મુદ્દે જણાવ્યું હતું કે સમય મુજબ નિર્ણય લઈશું.તો બીજી બાજુ અગાઉ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી રઘુ શર્માએ છોટુભાઈ વસાવાના નિવાસસ્થાને 2 કલાક બેઠક કરી હતી, જ્યારે છોટુભાઈ વસાવા દિલ્હી ખાતે કે.સી.વેણુગોપાલ સાથે પણ બેઠક કરી આવ્યા છે તો હાલમાં જ કોંગ્રેસના નેતા પવન ખેડા પણ છોટુભાઈ વસાવાને મળ્યા હતા.આ તમામ બાબતો એ દર્શાવે છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું જ છે.
Advertisement