મુંબઇ: મહારાષ્ટ્રના મુંબઇમાં એક રોડ અકસ્માત થયો છે. મુંબઇના બાંદ્રા વર્લી સી લિંક પર એક એમ્બ્યુલન્સ અને ચાર કાર વચ્ચે ટક્કર થતા પાંચ લોકોના મોત થયા છે. આશરે આઠ લોકો ઘાયલ છે. ઘટના પોલ સંખ્યા 76 અને 78 વચ્ચે 2.20 વાગ્યાની નજીક ઘટી હતી.
Advertisement
Advertisement
દૂર્ઘટનામાં ઘાયલ તમામ 13 લોકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીવાઇ એલ નાયર હોસ્પિટલ લઇ જવામાં આવેલા 10માંથી પાંચ લોકોને ભરતી પહેલા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બે મહિલા અને એક પુરૂષ સારવાર માટે હજુ પણ એડમિટ છે. બે અન્યને સામાન્ય ઇજા હતી, તેમની સારવાર કરાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
સી લિંક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોને ત્રણ અલગ અલગ હોસ્પિટલ-ગ્લોબલ હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંદ્રા વર્લી સી લિંક પર એક ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઇ હતી. દૂર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સને કૉલ કર્યો હતો. એમ્બ્યુલન્સ ઘાયલોને લઇને જતી તે પહેલા જ પાછળથી આવી રહેલી 3 ગાડી એમ્બ્યુલન્સ સાથે ટકરાઇ હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને તુરંત રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ.
ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા માટે પોલીસે સ્થાનિક લોકોની મદદ લેવી પડી હતી. તંત્ર આ કેસની તપાસમાં જોડાઇ ગયુ છે. સાવચેતીના પગલે બાંદ્રાથી વર્લી તરફ જનારા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યુ
આ દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ટ્વીટ કર્યુ, મુંબઇમાં બાંદ્રા-વર્લી સી લિંક પર દૂર્ઘટનામાં લોકોના મોતથી દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના છે. હું આશા કરૂ છુ કે જે લોકો ઘાયલ થયેલા તે સ્વસ્થ થાય.
Advertisement