લખનઉં: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરૂગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં નિધન થયુ છે. તે 82 વર્ષના હતા. મુલાયમ સિંહ યાદવ ઘણા સમયથી બીમાર હતા અને તેમણે સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલ અનુસાર મુલાયમ સિંહ યાદવનું સોમવાર સવારે 8.16 વાગ્યે નિધન થયુ છે. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ સૈફઇમાં થશે. યૂપી સરકારે મુલાયમ સિંહ યાદવ ગામ સૈફઇમાં થશે. યૂપી સરકારે મુલાયમ સિંહ યાદવના નિધન પર ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
મુલાયમ સિંહ યાદવને બે ઓક્ટોબરે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર સમાજવાદી પાર્ટીમાં શોકની લહેર છે. પીએમ નરેન્દ્ર મોદીએ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મુલાયમ સિંહ યાદવના નિધનથી મને દુખ પહોચ્યુ છે, તેમનું ઉલ્લેખનીય વ્યક્તિત્વ હતુ તથા એક જમીની નેતા તરીકે તેમની વ્યાપક પ્રશંસા કરવામાં આવતી હતી. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે અમે પોત પોતાના રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં કામ કર્યુ, ત્યારે મુલાયમ સિંહ યાદવ સાથે મારી કેટલીક વાતચીત થઇ હતી. ઘનિષ્ઠતા ચાલુ રહી અને હું હંમેશા તેમના વિચારોને સાંભળવા માટે ઉત્સુક હતો, તેમના નિધનથી દુખી છુ. મુલાયમ સિંહ યાદવના નિધન પર રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો
સૈફઇમાં અંતિમ સંસ્કાર થશે
કાલ બપોરે 3 વાગ્યે સૈફઇમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સૈફઇમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.
અમિત શાહે અંતિમ દર્શન કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કર્યા હતા, તેમણે અહી અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: અખાડામાં જાણીતો હતો મુલાયમ યાદવનો ચરખા દાંવ, ગુપ્ત મતદાનથી બન્યા હતા મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ દુખ વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મુલાયમ સિંહ યાદવના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે, તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે દેશમાં જ્યારે પણ મર્યાદિત અને સંસદીય પરંપરાઓ ધરાવતી રાજનીતિની ચર્ચા થશે તો મુલાયમ સિંહ યાદવજીનો ઉલ્લેખ જરૂર થશે, તેમનું જવુ દેશની સમાજવાદી વિચારધારા અને રાજનીતિ માટે મોટુ નુકસાન છે. મારૂ સૌભાગ્ય છે કે તે સદનમાં મારા સાથી સભ્ય રહ્યા અને તેમનો હંમેશા સહયોગ મળ્યો.
સોનિયા ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યુ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, મુલાયમજીનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણો સંઘર્ષ સદૈવ યાદ રાખવામાં આવશે.
Advertisement