નવી દિલ્હી: ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ઉત્તરાખંડના પ્રવાસે હતા, તેમણે બાબાના દર્શન કર્યા અને બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષે દર્શન કરવા માટે જાય છે. આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાળના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોચ્યા હતા, તેમણે ભગવાન બદ્રીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને દેશની ખુશહાલીની પ્રાર્થના કરી હતી. તે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા હતા અને પૂજા-અર્ચના કરી હતી, તેમણે બદ્રીનાથ અને કેદારનાથને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન કર્યુ હતુ. કેદારનાથ પહોચવા પર મંદિર સમિતીએ તેમનું સ્વાગત કર્યુ હતુ.
Advertisement
Advertisement
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું ભવ્ય સ્વાગત
બદ્રીનાથ ધઆમ પહોચવા પર બીકેટીસીના ઉપાધ્યક્ષ કિશોર પવાર અને મંદિર સમિતીના કર્મચારીઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાળના શ્રૃંગારમાં પ્રયોગમાં લાવવામાં આવતી તુલસીની માલા પણ મુકેશ અંબાણીએ ભેટ સ્વરૂપે આપી હતી. બદ્રીનાથ મંદિરના સભા મંડળમાં પહોચ્યા બાદ મુકેશ અંબાણીએ ભગવાન બદ્રીના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં ધ્યાન લગાવ્યુ હતુ.
#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani visited Badrinath Dham and Kedarnath Dham today. He performed puja at both temples. The industrialist donated Rs 5 crores to The Badri-Kedar Temple Committee (BKTC) pic.twitter.com/DTrX4eCPvv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 13, 2022
મુખ્ય પૂજારીને પણ મળ્યા અંબાણી
બદ્રીનાથ ધઆમના ધર્મ અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે મુકેશ અંબાણીની પૂજા સંપન્ન કરાવી છે. અંબાણી બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારી રાવલજીને પણ મળવા માટે તેમના ઘરે પહોચ્યા હતા, ત્યા જઇને આશીર્વાદ લીધા હતા.
બદ્રીનાથ દર્શને પહોચેલા મુકેશ અંબાણી જૌલીગ્રાંટથી પરત ફર્યા
20 સપ્ટેમ્બરે અંબાણી દર્શન કરવા માટે આવ્યા હતા. સવારે 7.10 વાગ્યે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશેષ વિમાનથી જૌલીગ્રાંટ એરપોર્ટ પર પહોચ્યા હતા, તે પછી તેમણે બદ્રીનાથના દર્શન માટે રવાના થવાનું હતુ પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટરથી બદ્રીનાથ માટે ઉડાન ભરી શક્યુ નહતુ. જેને કારણે મુકેશ અંબાણી ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. સૂત્રો અનુસાર, જિયોની ફાઇવજી સેવાની લૉન્ચિંગને લઇને મુકેશ અંબાણી દેશના વિવિધ મંદિરોમાં પૂજા કરી રહ્યા છે. લાલબાગના બાદશાહથી શરૂ કરીને તેમની પૂજા સતત દેશના વિવિધ મંદિરમાં ચાલુ રહી હતી.
Advertisement