મોરબી: મોરબી પુલ દૂર્ઘટનાની તપાસમાં સામે આવ્યુ કે પુલના સમારકામનો ઠેકો લેનાર ઓરેવા ગ્રુપે ફાળવવામાં આવેલી રકમનો માત્ર છ ટકા ભાગ જ ખર્ચ કર્યો હતો. કંપનીને પુલના સમારકામ માટે 2 કરોડ રૂપિયા મળ્યા હતા પણ તેને માત્ર 12 લાખ રૂપિયા જ ખર્ચ કર્યા હતા. તપાસ અનુસાર, કંપનીએ પુલનું રંગ કામ કર્યુ હતુ અને તે સારી રીતે સમારકામ કરતી તો આ દૂર્ઘટના ના ઘટી હોત.
Advertisement
Advertisement
મોરબી ઝૂલતો પુલ તૂટતા 141 લોકોના થયા હતા મોત
મોરબીમાં 30 ઓક્ટોબરે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી જતા અનેક લોકો નદીમાં પડ્યા હતા. આ દૂર્ઘટનામાં 141 લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા હતા. છઠ પૂજાના પ્રસંગે પુલ પર વધારે ભીડ ભેગી થઇ ગઇ હતી જેને કારણે કેબલ તૂટી ગયો હતો અને તે નદીમાં પડી ગયો હતો. દૂર્ઘટના સમયે ઝૂલતા પુલ પર 500થી વધારે લોકો હાજર હતા.
ઓરેવા કંપનીએ જૂના કેબલ નહતા બદલ્યા, કાટ લાગતા તૂટ્યો પુલ
મોરબીના આ પુલને દૂર્ઘટનાના ચાર દિવસ પહેલા 26 ઓક્ટોબરે જ જનતા માટે ખોલવામાં આવ્યો હતો અને આ પહેલા સમારકારમને કારણે સાત મહિના બંધ રહ્યો હતો. જોકે, સમારકામ દરમિયાન ઓરેવા કંપનીએ તેનો ફર્શ બદલ્યો હતો અને જૂના કેબલ પર ગ્રેસીંગ પણ કરવામાં આવી નહતી. પોલીસ અનુસાર, જે જગ્યાએથી કેબલ તૂટ્યો, ત્યા કાટ લાગી ગયો હતો અને તેનું સમારકામ કરવામાં આવતુ તો આ દૂર્ઘટના ના ઘટી હોત.
ઓરેવાએ બીજી કંપનીને આપ્યો હતો સમારકામનો ઠેકો
પોલીસ તપાસમાં ખબર પડી કે ઓરેવા કંપનીએ ખુદ પુલનું સમારકામ કર્યુ નહતુ પણ તેને ઠેકો ધ્રાંગધ્રા સ્થિત દેવપ્રકાશ સોલ્યુશન્સ કંપનીને આપ્યો હતો. ઓરેવાની જેમ દેવપ્રકાશ સોલ્યુશન્સ પાસે પણ પુલના સમારકામ માટે ટેકનિકલ જાણકારી નહતી અને તેને માત્ર રંગનું કામ કરીને પોતાનું કામ પૂર્ણ કરી દીધુ હતુ. દેવપ્રકાશ સોલ્યુશન્સના દસ્તાવેજથી જ સમારકામ પર માત્ર 12 લાખ રૂપિયા ખર્ચ કરવાની જાણકારી મળી છે.
આ પણ વાંચો: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા
ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વગર જ પુલને ખોલવાનો પણ આરોપ
ઓરેવા પર ફિટનેસ સર્ટિફિકેટ અને પરવાનગી વગર પુલને લોકોને ખોલવાનો આરોપ લગાવ્યો છે. મોરબી મહાનગરપાલિકાનું કહેવુ છે કે કંપનીએ પુલને ખોલ્યા પહેલા તેમની પાસેથી પરવાનગી લીધી નહતી.
ઓરેવા પર પુલને નક્કી સમય પહેલા ખોલવાનો પણ આરોપ લાગ્યો છે. કંપનીએ સમજૂતિ હેઠળ પુલને 8-12 મહિના બંધ રાખવાનો હતો પરંતુ તેને સાત મહિના બાદ જ જનતા માટે ખોલી દેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં નવ કર્મચારીની ધરપકડ
મહત્વપૂર્ણ છે કે પોલીસે ઓરેવા કંપની વિરૂદ્ધ IPCની કલમ 304 (ગેર ઇરાદતન હત્યા), 308 અને 114 હેઠળ કેસ દાખલ કર્યા છે. પોલીસે કંપનીના નવ કર્મચારીઓની ધરપકડ કરી છે જેમાં બે મેનેજર, બે ટિકિટ ક્લાર્ક, ત્રણ સુરક્ષા કર્મી અને 2 રિપેરિંગ ઠેકેદાર સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા.
Advertisement