નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાની ધરપકડ અને CBI તપાસને પડકાર આપતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તુરંત સુનાવણીની માંગ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહેશે. બપોરે 3.30 વાગ્યે આ ઘટનાની સુનાવણી કરવામાં આવશે.
Advertisement
Advertisement
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ એવા સમયે થઇ છે જ્યારે દિલ્હી સરકારે આવતા મહિને વાર્ષિક બજેટ રજૂ કરવાનું છે. મનીષ સિસોદિયા દિલ્હી સરકારમાં નાણા મંત્રી છે.
સોમવારે રાઉજ એવેન્યૂ કોર્ટમાં હાજર રહેવા દરમિયાન પણ મનીષ સિસોદિયાના વકીલોએ બજેટ રજૂ કરવાની વાત કરી હતી. જોકે, તેમણે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સુત્રોએ કહ્યુ કે રાજ્યનો વાર્ષિક બજેટ રજૂ કરવાની જવાબદારી પરિવહન અને રાજસ્વ મંત્રી કૈલાશ ગહેલોત પર આવી શકે છે.
સોમવારે શું થયુ?
મનીષ સિસોદિયાની ધરપકડ પછી CBI દ્વારા સ્પેશ્યલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યા હતા. સોમવાર સવારથી જ આ ઘટનાને લઇને રાજકારણ ગરમાયેલુ રહ્યુ હતુ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિલ્હી સહિત દેશભરમાં મનીષ સિસોદિયાની ધરપકડને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. દિલ્હીમાં કેટલાક કાર્યકર્તાઓને દિલ્હી પોલીસે ડિટેન પણ કર્યા હતા.
3 વાગ્યે મનીષ સિસોદિયાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ આમ આદમી પાર્ટીના નેતાને સ્પેશ્યલ કોર્ટમાં હાજર કર્યા હતા અને તેમણે પાંચ દિવસ માટે કસ્ટડીમાં સોપવાની માંગ કરી હતી. તે પછી જજ એમ.કે.નાગપાલે સિસોદિયાને ચાર માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
જજે કહ્યુ હતુ કે જોકે, આરોપી આ ઘટનામાં પહેલા બે તક પર તપાસમાં સામેલ થયા છે પરંતુ એવુ પણ જોવુ જોઇએ કે તે તપાસ અને પૂછપરછ દરમિયાન કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નનો સંતોષજનક જવાબ આપી શક્યા નથી, તેમણે કહ્યુ કે મનીષ સિસોદિયા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ દરમિયાન કથિત રીતે તેમના વિરૂદ્ધ મળેલા આપત્તિજનક પુરાવા મામલે સ્પષ્ટીકરણ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
Advertisement