રાંચી: ઝારખંડમાં ફરી એક વખત મૉબ લિંચિંગની ઘટના સામે આવી છે. એક ડઝન લોકોની ભીડે એક યુવકની કુલ્હાડીથી કાપીને હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપીઓની ધરપકડની માંગને લઇને મૃતકના પરિવારજનોએ વિવાદ ઉભો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ગુમલા જિલ્લાના જારી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુર પંચાયતના તિગરા ગામના 32 વર્ષીય એજાજ ખાનની હત્યા ભીડે કુલ્હાડી, લાકડી અને ડંડા લાતથી મારીને કરી હતી. જે જગ્યાએ મૉબ લિંચિંગની ઘટના થઇ તે જગ્યા ઝારખંડ અને છત્તીસગઢની સરહદ પર છે.
Advertisement
Advertisement
મૃતક યુવક એજાજ પર ગુમલા જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ છે. પોલીસનું કહેવુ છે કે મૃતક ચોરી સહિત અન્ય કેસમાં જેલ જઇ ચુક્યો છે, તેની પર ગુમલા જિલ્લાના જારી પાલકોટ અને ડૂંગરી પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક કેસ દાખલ છે. એજાજની હત્યાનો આરોપ છત્તીસગઢના યુવકો પર લાગ્યો છે. જોકે, આ પુરા હત્યાકાંડ પર પોલીસ કઇ કહેતા બચી રહી છે.
મૃતક યુવકના ભાઇએ જણાવ્યુ કે એજાજ છત્તીસગઢના પતરાટોલી ગયો હતો. ત્યા કેટલાક યુવકો સાથે તેનો વિવાદ ચાલતો હતો અને તે યુવકોએ જ લાકડી-દંડા અને કુલ્હાડીથી એજાજની હત્યા કરી નાખી હતી. એજાજની બાઇક પણ પતરાટોલી છત્તીસગઢમાં સળગેલી હાલતમાં મળી હતી. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે છત્તીસગઢના આઠ-દસ યુવક પહેલા લાકડી ડંડાથી મારીને એજાજને ઘાયલ કર્યો હતો. તે બાદ કુલ્હાડીથી કાપીને તેની હત્યા કરી નાખી હતી, તેના બન્ને હાથ પણ તૂટેલા છે.
પરિવારજનોએ હંગામો કર્યો
મૃતક યુવક એજાજની હત્યાની જાણ થતા જ તેના પરિવારજનોએ હંગામો કર્યો હતો અને શબને ઉઠાવવાનો ઇનકાર કરી દીધો હતો. પરિવારજનો આરોપીની ધરપકડ અને ગુમલા એસપીને ઘટનાસ્થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા હતા. મોડી રાત સુધી શબ ઘટનાસ્થળ પર જ પડેલો હતો, જોકે, બાદમાં પોલીસ પદાધિકારીઓના પહોચવા અને પરિવારજનોને આરોપીની ધરપકડનું આશ્વાસન આપ્યા બાદ પરિવારજનોનો ગુસ્સો શાંત થયો હતો.
Advertisement