ભોપાલ: મધ્ય પ્રદેશના મુરૈનામાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે. જેમાં એરફોર્સના સુખોઇ-30 અને મિરાજ-2000 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. બનાવની જાણ થતા જ રાહત અને બચાવ દળ પહોચી ગયુ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સંરક્ષણ સુત્રો અનુસાર બન્ને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેસથી ઉડાન ભરી હતી જ્યા પ્રેક્ટિસ ચાલી રહી હતી.
Advertisement
Advertisement
એકનું મોત, બે ઘાયલ
વિમાન દૂર્ઘટનાનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં એકનું મોત થયુ છે. જ્યારે બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યુ કે બન્ને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટથી ઉડાન ભરી હતી.
Advertisement