કોડીનાર તાલુકાના ડોળાસાના શિક્ષિત ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ અનાજ અને અન્ય વસ્તુઓ ખેતી કરી રહ્યા છે. તેઓ ફળાઉ ખેતીમાં કનડગત કરતી સોનમાખ નામની માખીના નિયંત્રણ માટે પણ તેમને સફળ પ્રયોગો કર્યા છે.
ખેડૂત જયેશભાઈ મોરીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને ચાલુ વર્ષે ઉનાળુ પાક તલ, શાકભાજી વગેરેની ખેતી કરી રહ્યા છે, જેમાં રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યો જ નથી.
તેઓ છાણીયું ખાતર, ગોળ, છાસનું મિશ્રણ કરી તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત પાકમાં થતી જીવાતોને દૂર કરવા પણ સચોટ ઉપાય અમલમાં મૂક્યો છે.
સોનમાંખ કેરી, શાકભાજી ઉપરાંત ફળાઉ ઝાડને ભારે નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે ખેડૂતો મોંઘી દવાઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે.
આ સોનમાખના નિયંત્રણ માટે દવા નહીં પરંતુ માત્ર 60 રુપિયાના ખર્ચે બનેલા સાદા બોક્સમાં સુગંધિત ટેબલેટ મૂકવાથી સોનામાંખ સુગંધથી આકર્ષાઈને બોક્સમાં આવી જાય છે.
એવી રીતે નાળિયેરીના પાકને મુંડા નામની મોટી જીવાત ભારે નુકસાન કરે છે પણ તેને નિયંત્રિત કરવા માટે એક વીઘામાં માત્ર બસ્સો રુપિયાનો જ ખર્ચ થાય છે. એક ટેબલેટની સુગંધથી આકર્ષાઈ મુંડાઓ એક બંધ ડ્રમમાં જમા થાય છે અને નાળિયેરીને નુકસાન અટકે છે. ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવી તલના પાંકમાં સારી ઉપજ મેળવશે.
Advertisement