જયપુર: ગુજરાત પછી રાજસ્થાનમાં લમ્પી વાયરસનો કહેર ગાય પર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 10 લાખથી વધારે ગાય તેની ઝપટમાં આવી ગઇ છે. હજારો ગાયોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ હજારો ગાયો લમ્પી વાયરસનો શિકાર બની રહી છે. માત્ર સરકારી આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી 43 હજાર ગાયના આ વાયરસને કારણે મોત થયા છે.
Advertisement
Advertisement
બીકાનેરની સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં 10-20 હજારની સંખ્યામાં ગાયને જોહડબીડ વિસ્તારમાં ફેકેલી જોઇ શકાય છે. કેટલાક દિવસથી આ બેદરકારી ચાલુ છે. આસપાસના આશરે 5 કિલોમીટરનો વિસ્તારમાં દૂર્ગંધે લોકોનું જીવવુ મુશ્કેલ કરી નાખ્યુ છે. બીકાનેર મહાનગરપાલિકાના કમિશનર, પશુપાલન વિભાગના સંયુક્ત ડિરેક્ટરે આ અહેવાલને ફગાવી દીધો છે. જોકે, ઘટનાસ્થળે પહોચેલા બીકાનેરના મેયરે આ બધાની પોલ ખોલી નાખી હતી.
બીકાનેરના મેયર સુશીલા કંવરે જોહડબીડમાં લમ્પી વાયરસથી મૃત ગાયોના શભ ના ફેકવાના તંત્રના દાવાની પોલ ખોલી છે. મેયર ઘટનાસ્થળે પહોચ્યા હતા અને જણાવ્યુ કે મોટાભાગની ગાય લમ્પી રોગથી ગ્રસિત હતી, તેમણે કહ્યુ કે આ ભયાનક અને સંવેદનશીલ દ્રશ્યને તમામ સાથે શેર કરવા નહતી માંગતી પરંતુ જે રીતે કમિશનર અને સમગ્ર તંત્ર બિન જવાબદાર વલણથી પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે, જનતાને જૂઠ પરોસી રહ્યા છે. જોહડબીડ જ્યા નગર નિગમ તરફથી મૃત પશુઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યાની તસવીરને તંત્ર ખોટુ ગણાવી રહ્યુ છે, અસલમાં આ તસવીર સાચી છે.
Advertisement