નવી દિલ્હી: દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્ય ચચિવ નરેશ કુમાર દ્વારા દિલ્હી પરિવહન નિગમ દ્વારા 1,000 લો-ફ્લોર બસની ખરીદીમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી ફરિયાદને સીબીઆઇને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક અધિકારીના નિવેદન અનુસાર, એલજી સેક્રેટેરિયટ ઓફિસને આ મામલે ફરિયાદ મળી હતી.
Advertisement
Advertisement
ગત દિવસોમાં સીબીઆઇએ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને બીજા ઠેકાણા પર તપાસ કરી હતી. જે બાદ બન્ને પક્ષ એક બીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા રહ્યા છે. ભાજપ, દિલ્હી સરકાર પર માત્ર દારૂની નીતિ જ નહી પણ શિક્ષણના ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી રહી છે.
આ મામલે ઉપ રાજ્યપાલને 9 જૂન 2022માં એક ફરિયાદ મળી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ, યોજનાબદ્ધ રીતે પરિવહન મંત્રીને જ બસોની ટેન્ડરિંગ અને ખરીદ સબંધિત કમિટીના ચેરમેન બનાવી દીધા હતા. ગડબડ કરવાના ઉદ્દેશ્યથી DIMTSને BID મેનેજમેન્ટ કંસલ્ટન્ટ નિયુક્ત કર્યા અને જુલાઇ 2019માં 1000 CNG બસની ખરીદી માટે BID અને માર્ચ 2020માં એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ માટે બોલીમાં ગેરકાયદેસરતા હતી.
દિલ્હી સરકારના ઉપ રાજ્યપાલ પર પ્રહાર
બસ ખરીદ મામલે સીબીઆઇ તપાસ પર દિલ્હી સરકારનું નિવેદન સામે આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ટેન્ડર રદ થઇ ગયુ હતુ અને બસ ક્યારેય ખરીદવામાં જ નથી આવી. દિલ્હી સરકારે કહ્યુ કે દિલ્હીને વધુ ભણેલા ગણેલા LGની જરૂરત છે, હાજર LGને ખબર પડી જ નહી કે તે ક્યા સહી કરી રહ્યા છે. દિલ્હી સરકારના નિવેદન અનુસાર, ઉપ રાજ્યપાલ પર ખુદ ગંભીર ભ્રષ્ટાચારના આરોપ છે. ધ્યાન ભટકાવવા માટે તે આ રીતની તપાસના આદેશ આપી રહ્યા છે .આ રીતની તપાસથી અત્યાર સુધી કોઇ પરિણામ આવ્યુ નથી. મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી વિરૂદ્ધ ખોટી ફરિયાદ બાદ હવે તે ચોથા મંત્રીની ફરિયાદ કરી રહ્યા છે. ઉપ રાજ્યપાલ પહેલા ખુદની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપે. ઉપ રાજ્યપાલનો આરોપ છે કે ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ રહેતા તેમણે 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ. આ દરમિયાન તેમણે ટેન્ડર વગર પોતાની દીકરીને ઠેકો આપ્યો હતો.
Advertisement