નવી દિલ્હી: દેશના કાયદા મંત્રી કિરેન રિજિ્જૂએ સોમવારે ન્યાયપાલિકામાં કોલેજિયમ સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે, દેશના લોકો કોલેજિયમ સિસ્ટમથી ખુશ નથી અને ભારતના સંવિધાનની ભાવના હેઠળ જજોની નિયુક્ત કરવી સરકારનું કામ છે.
Advertisement
Advertisement
કિરેન રિજિજૂએ કહ્યું કે, ભારતને છોડીને દુનિયામાં ક્યાંય પણ ન્યાયાધીશ પોતે ન્યાયાધીશોની નિયુક્ત કરતાં નથી.
તેમને કહ્યું કે, “મેં કાયદા મંત્રીના રૂપમાં જોયું છે કે, ન્યાયાધીશોનો અડધો સમય તો તે નક્કી કરવામાં જાય છે કે આગામી ન્યાયાધીશ કોણ હશે. તેમનું પ્રથમ કામ ન્યાય આપવું છે.”
કિરન રિજિજૂએ કહ્યું કે જજોની પ્રસંદ કરવાની પ્રક્રિયા પારદર્શી નથી. કિરન રિજિજૂએ આ તમામ વાતો પાંચજન્ય દ્વારા આયોજિત સાબરમતી સંવાદ કાર્યક્રમમાં કરી હતી.
Advertisement