અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શુક્રવારે એક દિવસમાં કુલ 6016 મિલ્કત સીલ કરી દીધી હતી. આ પગલાંથી તંત્રને પ્રોપર્ટી ટેક્સ પેટે રુ.20 કરોડની આવક થઈ છે.
Advertisement
Advertisement
પૂર્વ ઝોનમાં 2226, નદી પારના ત્રણ ઝોનમાં કુલ મળીને 2060 મિલ્કત વેરા વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વારા વર્ષ 2022-23 સિવાયના અગાઉના વર્ષોના બાકી રહેલા મિલ્કત વેરાને ભરાવવા માટેની મુહિમ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે લોકો નિયમિત કર ભરે છે તેવા કરદાતાઓને સો ટકા વ્યાજ માફી આપવાની સ્કીમને હવે બે દિવસ બાકી છે. આ દરમિયાન પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં 2226 મિલ્કત સીલ કરાઈ હતી.
પશ્ચિમ ઝોનમાં નારણપુરા, ચાંદખેડા, આશ્રમરોડ સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં 772 મિલ્કતો બાકી વેરાની હોવાથી સીલ કરવામાં આવી હતી.
એડવાન્સ ટેક્સ રિબેટ સહિત રૂ.4.30 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ સહિત અન્ય વોર્ડ વિસ્તારમાં 781 મિલ્કત સીલ કરી રુ.5 કરોડ આવક થવા પામી હતી.
દક્ષિણ પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં બાકી વેરાની વસૂલાત માટે 507 મિલ્કત સીલ કરાઈ હતી. મધ્ય ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારના 681 તથા દક્ષિણ ઝોનના અલગ અલગ વિસ્તારમાં 828 મિલ્કત સીલ કરવામાં આવી હતી. ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં 221 મિલ્કત બાકી વેરાની વસૂલાત માટે સીલ કરાઈ હતી.
Advertisement