શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવ્યો છે, જેને કારણે યાત્રા બનિહાલના કાજીગુંડમાં 20 મિનિટ માટે રોકવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને સુરક્ષા કર્મીઓ કારમાં લઇ ગયા હતા. કોંગ્રેસ નેતાઓનું કહેવુ છે કે જ્યાર સુધી સુરક્ષા નથી મળતી ત્યાર સુધી યાત્રા શરૂ નહી કરવામાં આવે. જોકે, થોડી વાર બાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
અહી કોઇ સુરક્ષા નથી- કેસી વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ, “અહી કોઇ સુરક્ષા નથી. અમે રાહુલ ગાંધીને વગર સુરક્ષાએ આગળ જવાની પરવાનગી આપી નથી શકતા. જો તે ચાલવા માંગે છે તો પણ અમે તેમણે ચાલવા નહી દઇએ. સીનિયર સુરક્ષા અધિકારીઓએ અહી આવવુ પડશે.”
રાહુલ ગાંધીએ કહ્યુ કે યાત્રા દરમિયાન પોલીસ વ્યવસ્થા પુરી રીતે ચરમરાઇ ગઇ હતી અને ભીડને સંભાળનાર પોલીસ ક્યાય જોવા મળતી નહતી. યાત્રા પર મારી આગળ ચાલનારા મારા સુરક્ષાકર્મી અસહજ હતા, માટે મારે પોતાની યાત્રા રદ કરવી પડી, તેમણે જણાવ્યુ કે મારા લોકોએ મને યાત્રા ના કરવાની સલાહ આપી હતી માટે હું યાત્રામાંથી નીકળી ગયો અને અન્ય યાત્રીઓએ પદયાત્રા કરી હતી.
કોંગ્રેસે ટ્વીટ કર્યુ, “રાહુલ ગાંધીની સુરક્ષામાં કમીના આદેશ અંતે કોણ આપી રહ્યુ છે” મહત્વપૂર્ણ છે કે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પણ યાત્રામાં સામેલ થયા હતા.
મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 વાગ્યે શરૂ થઇ હતી. આ યાત્રા રામબનથી અનંતનાગ જવાની હતી પરંતુ યાત્રાને બનિહાલમાં જ રોકી દેવામાં આવી છે.
દેશની છબી માટે યાત્રામાં સામેલ થયો- ઉમર અબ્દુલ્લા
ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે, અમે કોઇ વ્યક્તિની છબી માટે નહી પણ દેશની છબી માટે તેમાં સામેલ થયા છીએ. અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે દિલ્હી જમ્મુ કાશ્મીરનો અવાજ સાંભળતુ નથી. અમારો અવાજ દબાવવામાં આવે છે. અબ્દુલ્લાએ કહ્યુ કે રાહુલ ગાંધી કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તે બાદ તેમણે દાવો કર્યો કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવો તો ભાજપને ખબર પડી જશે કે તે અહી પૉપુલર નથી. લોકો તેમની સાથે નથી. ભાજપવાળા ડરપોક છે.
Advertisement