નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ પદ છોડવાની જાહેરાત કરી છે. કોશ્યારીએ સોશિયલ મીડિયા પર લખ્યુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મે તમામ રાજકીય જવાબદારી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
શિવાજીના જૂના દિવસોને આઇકોન ગણાવવા પર કોશ્યારી વિવાદમાં રહ્યા છે. કોશ્યારીએ ગત મહિને આ વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમનું માર્ગદર્શન પણ માંગ્યુ હતુ, તેમણે ગૃહમંત્રી પાસેથી સલાહ માંગી હતી કે તેમણે આ પદ પર બન્યા રહેવુ જોઇએ કે ના જોઇએ. કોશ્યારીએ આ પત્ર 6 ડિસેમ્બરે લખ્યો હતો.
કોશ્યારીએ ટ્વીટમાં પદ છોડવાની વાત કરી છે, તેમણે લખ્યુ- તાજેતરમાં હું મુંબઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો, મે તેમણે જણાવ્યુ કે હું તમામ રાજકીય જવાબદારીથી મુક્ત થવા માંગુ છુ, મે તેમણે કહ્યુ કે બાકી રહેલુ જીવન હું ભણવા-લખવા અને બીજી ગતિવિધિમાં વિતાવવા માંગુ છુ. મને વડાપ્રધાનથી હંમેશા પ્રેમ મળ્યો છે.
કોશ્યારીએ 9 સપ્ટેમ્બર, 2019માં મહારાષ્ટ્રના 22માં રાજ્યપાલના રૂપમાં પદભાર સંભાળ્યુ હતુ. રાજભવન દ્વારા જાહેર એક નિવેદનમાં રાજ્યપાલ કોશ્યારીએ કહ્યુ, “મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્ય-સંતો, સમાજ સુધારકો અને વીર સેનાનીઓની ભૂમિના રાજ્ય સેવક અથવા રાજ્યપાલના રૂપમાં સેવા કરવી મારી માટે એક સમ્માન અને સોભાગ્યની વાત હતી.”
કોશ્યારીએ કહ્યુ કે છેલ્લા ત્રણ વર્ષથી કેટલાક સમય દરમિયાન મહારાષ્ટ્રની જનતાના મળેલા પ્રેમ અને સ્નેહને હું ક્યારેય ભૂલી શકતો નથી. માનનીય વડાપ્રધાનની તાજેતરની મુંબઇ યાત્રા દરમિયાન મે તેમણે તમામ રાજકીય જવાબદારીથી મુક્ત થવા અને પોતાનું બાકી રહેલુ જીવન અન્ય ગતિવિધિમાં વિતાવવાની પોતાની ઇચ્છા જણાવી દીધી છે.
Advertisement