હિસાર: સોનાલી ફોગાટ હત્યા કેસ (Sonali Phogat murder case) ને લઇને જાટ ધર્મશાળામાં સર્વજાતીય સર્વ ખાપની મહાપંચાયત મળી હતી. મહા પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો સરકાર CBI તપાસ નહી કરાવે તો તે બધા જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરશે. મહા પંચાયતમાં સોનાલીની દીકરી અને પરિવારજનોન સુરક્ષા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. મહા પંચાયતમાં કહેવામાં આવ્યુ કે સોનાલી મુખ્યમંત્રી મનોહર લાલને પોતાના પિતા સમાન માનતી હતી, પણ આજે તે પિતા ક્યા છે, જે પોતાની ફરજ નથી નીભાવી રહ્યા. હવે ખાપ ન્યાયની લડાઇ લડશે.
Advertisement
Advertisement
આ દરમિયાન કેટલાક ખાપ નેતાઓએ કહ્યુ પેટા ચૂંટણી દરમિયાન કુલદીપ જ્યા મત માંગવા જશે, તે ગામમાં એક કે બે દિવસ પહેલા જઇને પંચાયતને મળશે અને ખાપના લોકોને મળશે, તેમણે માંગ કરશે કે ગામમાં ઘુસવા દેવામાં ના આવે, ના તો વોટ આપવામાં આવે. કુલદીપ બિશ્નોઇએ સોનાલીના અંતિમ સંસ્કાર દરમિયાન પણ વોટ માંગ્યા હતા જે ખોટુ હતુ.
જાટ અનામત આંદોલનમાં હિંસા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા ખાપના નેતા દલજીત પંઘાલે ભજન લાલ અને કુલદીપ બિશ્નોઇ પર આ હત્યાકાંડમાં સામેલ હોવાના આરોપ લગાવ્યા છે. પંઘાલે ભજન લાલ પરિવારના પહેલા થયેલા હત્યાકાંડથી તેનો સબંધ ગણાવ્યો છે. દલજીત પંઘાલે કહ્યુ કે મહાસભા ક્યાય પણ તેમના કાર્યક્રમ થવા નહી દે પરંતુ દલજીત પંઘાલના આ આરોપોનો ખાપમાં વિરોધ થયો હતો.
ભાજપના નેતા પવન ખારિયાએ કહ્યુ કે કોઇ પણ આરોપ લગાવવા યોગ્ય નથી. કુલદીપ બિશ્નોઇ અને તેના પરિવારની આ હત્યા સાથે કોઇ લેવા દેવા નથી. તે ખુદ સોનાલીના સમર્થક છે. સીએમ જો તેની સીબીઆઇ તપાસના આદેશ આપે તો આજે આ મહા પંચાયતની જરૂરત નહી પડે. તે બાદ ખાપના આયોજકોએ મહા પંચાયતમાં રાજકીય ભાષણ અને કોઇ નેતા પર આરોપ ના લગાવવાની સલાહ આપી હતી.
સોનાલી ફોગાટની દીકરી યશોધરાએ પણ સ્ટેજ પર ઉભા થઇને સોનાલી ફોગાટ કેસમાં CBI તપાસ કરાવવાની માંગ કરી હતી. સોનાલી ફોગાટની બહેન રૂકેશે પણ કહ્યુ કે સીબીઆઇ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આ દરમિયાન સોનાલી ફોગાટના અન્ય સ્વજન પણ હાજર રહ્યા હતા અને સીબીઆઇ તપાસ કરાવવા પર ભાર મુક્યો હતો.
15 સભ્યોની કમિટીની રચના
સર્વ જાતીય સર્વ ખાપ મહા પંચાયતમાં 15 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આ કેસનું નેતૃત્વ કરશે અને એસપીને પણ મળશે. ખાપ નેતાઓએ કહ્યુ કે આ કેસમાં પોલીસનું વલણ જોવામાં આવશે કે અંતે તે શું ઇચ્છે છે. સહયોગ ના મળવા પર ફરી પંચાયત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું 22 ઓગસ્ટે ગોવામાં એક ક્લબમાં નિધન થયુ હતુ.
Advertisement