ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા તમામ પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મતદાન પહેલા જ દાવો કર્યો છે કે તેમના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતીને વિધાનસભામાં જશે. કેજરીવાલે આ દાવો લેખિતમાં કર્યો છે.
Advertisement
Advertisement
અરવિંદ કેજરીવાલે કાગળ પર લખીને દાવો કર્યો કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને વરાછાથી અલ્પેશ કથિરિયા ચૂંટણી જીતી રહ્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે પોતાના ત્રણ ઉમેદવારની જીતનો કેજરીવાલ દાવો કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે કહ્યુ કે તમે આ દાવાને લખીને આપો. તે બાદ કેજરીવાલ કાગળ પર લખવા લાગ્યા હતા. રાજ્યના ચૂંટણી પરિણામ પર કેજરીવાલે લખ્યુ, ગોપાલ ઇટાલિયા રાજ્યમાં મોટા અંતરથી ચૂંટણી જીતી રહ્યા છે. અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી મોટા અંતરથી જીતી રહ્યા છે. અલ્પેશ કથિરિયા પણ વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે મતદારોને આશ્વાસન આપ્યુ કે જો તેમની પાર્ટી ગુજરાતની સત્તામાં આવે છે તો મોંઘવારીને રોકવા અને જરૂરી વસ્તુઓની કિંમતમાં વધારો રોકવાનું કામ કરશે. કેજરીવાલે ગુજરાતની મહિલાઓને ભલામણ કરી હતી કે તે પોતાના પરિવારના બાકી સભ્યોને પણ સમજાવે કે વોટ આમ આદમી પાર્ટીને જ આપે. કેજરીવાલે કહ્યુ કે આમ આદમી પાર્ટીને મત આપવાથી દરેક મહિલાને એક હજાર રૂપિયા મહિને, મફત અને સારી સારવાર સિવાય મફત વિજળી પણ મળશે.
આ પણ વાંચો: #ઝીણી નજરે ચાર જિલ્લાનો વર્તારોઃ વાઘાણી, ધાનાણી માટે કપરાં ચઢાણ, કુતિયાણાનો જંગ સૌથી રસપ્રદ
કેજરીવાલે કહ્યુ- મોંઘવારીનો માર સૌથી વધુ મહિલાઓએ ઝેલવો પડે છે કારણ કે તેમણે ઘર ચલાવવાનું હોય છે. આમ આદમી પાર્ટીને મત આપવાથી મોંઘવારીથી મુક્તિ મળશે, વિજળી બિલને શૂન્ય પર લાવવામાં આવશે. અમે એવો પણ દાવો કર્યો કે પ્રાઇવેટ સ્કૂલની ફી નહી વધવા દઇએ. દિલ્હીમાં સાત વર્ષ થઇ ગયા અમે પ્રાઇવેટ સ્કૂલને પોતાની ફી નથી વધવા દીધી, ગુજરાતમાં પણ અમે પ્રાઇવેટ સ્કૂલની ફી નહી વધવા દઇએ.
Advertisement