નવી દિલ્હી: ઉત્તરાખંડના કેદારનાથમાં એક હેલિકૉપ્ટર ક્રેશ થયુ હતુ. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. આ દૂર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરૂડચટ્ટીમાં બની હતી. ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટર ક્રેશનું એક કારણ માનવામાં આવ્યુ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ સચિવ અભિનવ કુમારે હેલિકૉપ્ટર ક્રેશમાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પૃષ્ટી કરી છે.
Advertisement
Advertisement
આ હેલિકૉપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકૉપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. હેલિકૉપ્ટરમાં પાયલોટ સહિત 7 લોકો સવાર હતા. કેદારઘાટી તરફ જ્યારે આ હેલિકૉપ્ટર આગળ વધ્યુ ત્યારે ગરૂડચટ્ટીમાં આ ક્રેશ થઇ ગયુ છે. જમીન પર પડવાની સાથે જ હેલિકૉપ્ટર આગની ચપેટમાં આવી ગયુ હતુ. દૂર્ઘટનામાં હેલિકૉપ્ટરમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
શરૂઆતની તપાસમાં ખબર પડી કે ફૉગને કારણે આ દૂર્ઘટના ઘટી છે. પહેલા હેલિકૉપ્ટર ટકરાયુ હતુ અને તે બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે અહી ભારે વરસાદ હતો. હવામાન માત્ર 15 મિનિટમાં અચાનક ખરાબ થઇ ગયુ હતુ. તે બાદ અમારી ઉડાન પણ રોકી દેવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યુ કે એક હેલિકૉપ્ટર ક્રેશ થઇ ગયુ છે.
Advertisement