બેંગલુરૂ: કર્ણાટકના બીદર જિલ્લામાં દશેરાના જુલૂસમાં ભાગ લઇ રહેલી ભીડ એક ઐતિહાસિક મસ્જિદમાં ઘુસી ગઇ હતી અને ત્યા નારા લગાવ્યા હતા અને પૂજા-પાઠ કર્યા હતા. પોલીસે આ ઘટનાને લઇને નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને ચાર લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યુ હતુ અને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
વર્ષો જૂની છે મસ્જિદ
બુધવાર સાંજે ભીડ તાળુ તોડીને બીદરના મહમૂદ ગવાન મસ્જિદમાં ઘુસી ગઇ હતી. આ મદ્રસા 1460ના દાયકામાં બની હતી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ આવે છે. આ બિલ્ડિંગને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
આ ઘટનાની સંવેદનશીલતા અને મોટા સ્તર પર પ્રદર્શનની સંભાવનાને કારણે તંત્રએ મદ્રસા બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. મદ્રસાની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મુસ્લિમ સમુદાયનો મદ્રસાને નુકસાન પહોચાડવાનો આરોપ
મુસ્લિમ સમુદાયે આરોપ લગાવ્યો કે ભીડે નારિયેળ તોડીને પૂજા કરી હતી અને મદ્રસાના ઢાંચાને નુકસાન પહોચાડ્યુ હતુ. જોકે, પોલીસે આ આરોપની પૃષ્ટી કરી નથી.
પોલીસે પ્રદર્શનકારીઓને શાંત કરાવતા આશ્વાસન આપ્યુ કે દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ઐતિહાસિક બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મુસ્લિમ સંગઠનોએ કરી પ્રદર્શનની વાત
ભીડે મદ્રસાની સીડી પર ઉભા થઇને ‘જય શ્રી રામ’ અને હિન્દૂ ધર્મ જયના નારા લગાવ્યા હતા. તે બાદ ભીડ બિલ્ડિંગના એક ખુણામાં પૂજા-પાઠ કર્યુ હતુ. બીદરના કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી હતી, તેમણે કહ્યુ કે જો સમય રહેતા તમામ આરોપીની ધરપકડ કરવામાં નથી આવતી તો શુક્રવારની નમાઝ બાદ મોટા સ્તર પર પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો: રૂપિયો સાવ ધોવાઇ ગયો, ડોલર સામે ભારતીય રૂપિયો 82.33 ના સ્તરે પહોંચ્યો
ઓવૈસીએ રાજ્ય સરકાર પર ઉઠાવ્યા સવાલ
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને લઇને રાજ્ય સરકાર પર સવાલ ઉભા કર્યા છે, તેમણે ટ્વિટર પર તેનો વીડિયો શેર કરતા પૂછ્યુ કે પોલીસ અને રાજ્ય સરકાર આવુ કેવી રીતે થવા દઇ શકે છે? મુસ્લિમોને નીચા બતાવવા માટે ભાજપ આવી ગતિવિધિને ભાર આપી રહી છે. બીજી તરફ ભાજપના ટિકાકારોનું કહેવુ છે કે પાર્ટી કર્ણાટકની જમીનને સાંપ્રદાયિક પ્રયોગો માટે ઉપયોગ કરી રહી છે.
Visuals from historic Mahmud Gawan masjid & madrasa, Bidar, #Karnataka (5th October). Extremists broke the gate lock & attempted to desecrate. @bidar_police @BSBommai how can you allow this to happen? BJP is promoting such activity only to demean Muslims pic.twitter.com/WDw1Gd1b93
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2022
Advertisement