દિલ્હીઃ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કવિતા દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસે પહોંચી ગયા છે. દિલ્હી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા એક મામલામાં ED કવિતાની પૂછપરછ કરશે. EDની આ કાર્યવાહી સામે BRS પાર્ટી MLCના કે. કવિતાએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
Advertisement
Advertisement
કેસીઆરના નિવાસસ્થાન બહાર કડક સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસે કેસીઆરના નિવાસસ્થાનની બહાર ખૂબ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈયાત કરી દીધા છે.એટલું જ નહીં દિલ્હી પોલીસે કેસીઆરના ઘરની બહાર બેરિકેડ઼્સ પણ લગાવી દીધા છે. કવિતા તેમના નિવાસસ્થાનેથી નીકળીને ઈડીનીઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમની દિલ્હી શરાબ કૌભાંડના મામલે પૂછપરછ થશે.
EDને સંપૂર્ણ સહયોગ કરીશઃ કે કવિતા
કવિતાએ આ મામલા અંગે એક નિવેદન જારી કર્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ તપાસમાં EDને સંપૂર્ણ સહયોગ કરશે. કવિતાએ ગુરુવારે આ મામલે કેન્દ્ર સરકારની ખૂબ ટીકા કરી હતી. તેમણે તેને ‘રાજકીય સતામણી’ ગણાવી હતી અને કહ્યું હતું કે દિલ્હી શરાબ કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસ સાથે તેમને કોઈ નિસ્બત નથી.
અગાઉ ક્યારેય મનીષ સિસોદિયાને ન મળ્યા હોવાનો દાવો
કવિતાએ ED પર આરોપ મૂક્યો હતો કે ઘણાં લોકોને પજવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ અગાઉ ક્યારેય મનીષ સિસોદિયાને મળ્યા નથી. આ અગાઉ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોટિસ આવી જેમાં તેમને 9 માર્ચે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, કવિતાએ હાજર રહેવા માટે ED પાસે 11 માર્ચનો સમય માગ્યો હતો.
Advertisement