નવી દિલ્હી: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેપી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં કાર્યકાળ જૂન 2024 સુધી વધારવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, “જેપી નડ્ડા માટે રાષ્ટ્રીય કાર્યકારિણીએ પ્રસ્તાવ કર્યો છે, રાજનાથ સિંહે આ પ્રસ્તાવને રાખ્યો છે અને તમામ ભાજપના સભ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. જેપી નડ્ડાને જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં તેમનો કાર્યકાળ વધારવામાં આવી રહ્યો છે.”
Advertisement
Advertisement
અમિત શાહે કહ્યુ કે, જેપી નડ્ડાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેતા અમારો બિહારમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ રહ્યો, મહારાષ્ટ્રમાં પણ NDAએ બહુમત મેળવ્યો, યૂપીમાં પણ જીત્યા, બંગાળમાં અમારી સંખ્યા વધી, ગુજરાતમાં અમે પ્રચંડ વિજય મેળવ્યો. ઉત્તર પૂર્વમાં પણ કામ કર્યુ.
અમિત શાહે આ વાત પર ભાર આપ્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં જેપી નડ્ડા સાથે 2024 લોકસભા ચૂંટણીમાં વધુ સારૂ પ્રદર્શન કરવામાં આવશે. 2019 કરતા વધુ બેઠક જીતવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક પણ માનવામાં આવે છે. બન્ને નેતાઓએ પોતાની રાજકીય કરિયરની શરૂઆતમાં જમીન પર સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યુ છે.
જેપી નડ્ડાનો પરિચય
પટણામાં 1960માં જન્મેલા જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા)એ બીએ અને એલએલબીની પરીક્ષા પટણાથી પાસ કરી હતી. શરૂઆતથી જ જેપી નડ્ડા એબીવીપી સાથે જોડાયેલા રહ્યા છે. પોતાના રાજકીય કરિયરમાં જેપી નડ્ડા જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહ્યા છે.
જેપી નડ્ડાનું રાજકીય જીવન
1978માં ABVP સાથે જોડાઇને વિદ્યાર્થી રાજનીતિની શરૂઆત કરી હતી. તે બાદ 1991થી 1994 વચ્ચે ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા, તેમના પત્ની મલ્લિકા નડ્ડા પણ 1988થી 1999 સુધી એબીવીપીના રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા. 2014માં મોદી સરકારમાં મંત્રી બન્યા પહેલા તે નીતિન ગડકરી અને રાજનાથ સિંહના અધ્યક્ષ રહેતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા. 2012 અને 2018માં ભાજપે તેમણે રાજ્યસભા મોકલ્યા હતા.
તે પ્રથમ વખત 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય બન્યા હતા અને 1994થી લઇને 1998 સુધી રાજ્ય વિધાનસભામાં પાર્ટીના નેતા રહ્યા. તે બાદ તે ફરી 1998માં ધારાસભ્ય ચૂંટાયા હતા. આ વખતે તેમણે સ્વાસ્થ્ય અને સંસદીય મામલાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2007માં ચૂંટણી જીત્યા અને પ્રેમ કુમાર ધૂમલની સરકારમાં વન-પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી બન્યા હતા. વર્ષ 2010 પહેલા સુધી જેપી નડ્ડા હિમાચલ પ્રદેશની રાજનીતિ સુધી સીમિત હતા. કેટલાક કારણોથી મુખ્યમંત્રી ધૂમલ સાથે મતભેદ વધતા 2010માં વન મંત્રીના પદ પરથી રાજીનામું આપવુ પડ્યુ હતુ.
2014માં લોકસભા ચૂંટણી સમયે જેપી નડ્ડાએ ભાજપ કાર્યાલયથી આખા દેશમાં પાર્ટીની ચૂંટણી કેમ્પેઇનનું મોનિટરિંગ કર્યુ હતુ, તે સમયે તેમનું કામ કેમ્પેનિંગમાં જોડાયેલી વિવિધ કમિટીથી લઇને નેતાઓની રેલી વગેરેનું સમન્વયનું હતુ. સપા-બસપા ગઠબંધનને કારણે યૂપી લોકસભા ચૂંટણી મહત્વની અને કઠિન બની ગઇ હતી. પાર્ટીએ જાન્યુઆરી 2019માં ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને મોકલ્યા હતા. અમિત શાહે ગઠબંધનને કાપવા માટે 50 ટકા વોટ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. જેપી નડ્ડાએ પોતાની રણનીતિના દમ પર 49 ટકાથી વધુ વોટ શેર પાર્ટી માટે મેળવવામાં સફળ રહ્યા હતા. ભાજપ અને સહયોગી અપના દળે કુલ મળીને 64 બેઠક જીતી હતી.
20 જાન્યુઆરી 2020માં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Advertisement